ભારતે મિસાઈલ આકાશ 1S ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ હવામાં દુશ્મનને નેસ્તનાબૂદ કરવામાં સક્ષમ છે. ગત છેલ્લા બે દિવસમાં મિસાઈલનું આ બીજુ સફળ પરીક્ષણ છે. આ આકાશ મિસાઈલનું નવું વર્ઝન છે. જેમાં અચૂક નિશાન સાધવા માટે સ્વદેશી ટેકનીક પણ લગાવવામાં આવી છે.
આ મિસાઈલનું નિર્માણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડી.આર.ડી.ઓ. દ્વારા કરવામાં આવ્યું છે. આકાશ મિસાઈલ ફાઈટર જેટ્સ, ડ્રોન, ક્રૂઝ મિસાઈલ અને જમીનથી હવામાં દુશ્મનને તોડી પાડવમાં પણ સક્ષમ છે. આ મિસાઈલની વધુમાં વધુ ગતિ 2.5 મેક એટલે કે 3 હજાર 087 કિલોમીટર પ્રતિ કલાકની છે.
આ એક મીડિયમ રેન્જ મિસાઈલ છે. જે 25 કિલોમીટર સુધી જઈને ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. વળી કમાન્ડો ગાઈડન્સ સિસ્ટમ સાથે 60 કિલો સુધીનો વિસ્ફોટ પણ સાથે લઈ જવામાં સક્ષમ છે. કોઈ પણ મોસમમાં આ મિસાઈલ કામ કરવામાં સક્ષમ છે. આ મિસાઈલનું પહેલું પરિક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જમાં વર્ષ 2017માં થયુ હતુ. આ મિસાઈલની સફળતા બાદ ભારતે જમીનથી હવામાં ટાર્ગેટને ધ્વસ્ત કરવાની ટેકનીકલ મેળવી છે.
આ અગાઉ ડીઆરડીઓએ 13 મેના રોજ ઓડિશાના પરીક્ષણ કેન્દ્રમાંથી 'અભ્યાસ' - હાઇ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારેગટ (હીટ) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણમાં અલગ-અલગ રડારો અને ઇલેકટ્રો ઓપ્ટિક પ્રણાલી દ્વારા નજર રાખવામાં આવી. 17 મેના રોજ નૌસેના અને ડીઆરડીઓએ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું.