ભારતીય સેનાને વિશ્વસ્તરીય મિસાઈલની જરૂરીયાત છે. જેના કારણે દુશ્મન દેશના ફાઈટર પ્લેન ડ્રોન અને હેલિકોપ્ટરને ખાખ કરી શકાય. DRDOને સોંપવામાં આવ્યું છે કામ. જેથી દુશ્મન દેશના આધુનિક ટેકનોલોજી ધરાવતા શસ્ત્રોને ખત્મ કરી શકાય છે.
ડીઆરડીઓ આગામી વર્ષોમાં સ્વદેશી મિસાઈલ આપવા માટે તૈયારી દર્શાવી છે. અને આવનારા વર્ષોમાં સ્વદેશી મિસાઈલ દેશને આપવામાં આવશે. સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દુશમન દેશની હરકતોને હવામાં જ ખાખ કરી શકે તેવી QR-SAMS ના આઠ સેટ માગે છે. આ મિસાઈલ સેના દ્વારા 20 કિમી હવાઈ વિસ્તારમાં ટાર્ગેટ કરી શકે છે. આ મિસાઈલ સોવિયત સંઘના જમાનાની જૂની મિસાઈલની જગ્યા લેશે. ડીઆરડીઓએ ક્યુ.આર.સેમ્સના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. સેનાનું આ મામલે માનવું છે કે સ્વદેશી રિસર્ચ એજન્સી વિદેશની નિર્માતાથી વધુ સારી સિસ્ટમ તૈયાર કરી શકે છે.
ક્યુ.આર.સેમ્સ સિસ્ટમ હેઠળ મિસાઇલ્સ પણ આગળ વધી રહ્યા છે અને દુશ્મન વિમાનો અથવા ડ્રોન પર નજર રાખતી વખતે તેઓ તાત્કાલિક તોડી પાડે છે. આ પહેલા એવી યોજના હતી કે સેનાને 3 મિસાઈલ વિદેશી કંપનીઓથી લાવીને આપવામાં આવશે જેથી સેનાની જરૂરિયાત જલ્દી પુરી થાય અને બાકીના પાંચને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની યોજના હતી.
પરંતુ હવે તમામ 8 મિસાઈલ સ્વદેશી બનાવવામાં આવશે અને સેનાને અપાશે. સૂત્રોના મતે ડી.આર.ડીઓ દ્વારા તૈયાર કરાઈ રહેલી મિસાઈલ 700થી 800 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ વાળી છે. ડીઆરડીઓએ આ પડકાર સ્વીકારતા કહ્યું કે તેઓ વિશ્વસ્તરિય મિસાઈલનું નિર્માણ કરીને ભારતીય સેનાને મજબૂત કરવામાં આવશે.