રાષ્ટ્રપતિના ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સહયોગી પાર્ટીઓને ટેકો તો મળ્યો જ છે, પણ તેણે વિપક્ષ પાસેથી પણ ઔપચારિકતા ખાતર ટેકાની આશા રાખી છે. જે માટે તેણે તમામ નેતાઓને ફોન ઘુમાવ્યો હતો.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂએ નામાંકન ભર્યું
વિપક્ષના નેતાઓ પાસેથી સમર્થનની આશા રાખી
વિપક્ષના નેતાઓને ફોન કરી સમર્થન આપવા જણાવ્યું
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ દરમિયાન ખુદ પ્રધાનમંત્રી મોદી સાથે રહ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ ઉપરાંત મુર્મૂને અમુક દળો સાથે સમર્થન પણ જરૂરી છે. જેના માટે તેમણે ખુદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. કહેવાય છે કે, દ્રૌપદી મુર્મૂએ મમતા પાસેથી પોતાના સમર્થનની વાત કહી છે.
મમતાએ શું કીધું
દ્રૌપદી મુર્મૂએ ફોનનો જવાબ આપતા મમતા બેનર્જીએ તેમના તરફથી શુભકામના આપી છે, પણ સમર્થન આપવાની ના પાડી છે. તેમણે મુર્મૂને કહ્યું કે, પાર્ટી નક્કી કરશે કે શું કરવું જોઈએ. જો કે, મમતા મુર્મૂને સમર્થન આપે તે માટેની શક્યતાઓ ખૂબ ઓછી છે, કારણ કે ખુદ તેમની પાર્ટી ટીએમસીના નેતા યશવંત સિન્હા પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વિપક્ષી દળોએ સહમતીથી તેમને ઉમેદવાર બનાવ્યા છે.
NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઝારખંડ સીએમ હેમંત સોરેન અને એનસીપી ચીફ શરદ પવાર સાથે પણ વાત કરી છે. જેમણે તેમણે આ તમામ પાર્ટીઓ પાસેથી સમર્થનની આશા રાખી છે. તમામ તરફથી મુર્મૂને શુભકામનાઓ આપવામાં આવી છે. કહેવાય છે કે, નામાંકન દાખલ કરતા પહેલા મુર્મૂએ તમામ નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી.
દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી
જો કે, દ્રૌપદી મુર્મૂએ ઔપચારિકતા ખાતર વિપક્ષી દળોના નેતાઓને ફોન કર્યો છે. કારણ કે, હાલમાં તેમને કોઈ અન્ય દળના સમર્થનની જરૂરી નથી, કારણ કે નવીન પટનાયકની બીજેડી અને જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસના સમર્થન બાદ તે બહુમતના આંકડાને પાર કરતા દેખાઈ રહ્યા છે. તો વળી વિપક્ષી પાર્ટીઓ આ આંકડાથી ઘણે દૂર છે. એટલે કે, દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. વિપક્ષ તરફથી ટીએમસી નેતા યશવંત સિન્હાને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. જે 27 જૂને નામાંકન ભરશે.