કોરોના સંકટમાં હકારાત્મકતાનો અભિગમ કેવી રીતે અપનાવી શકાય તેના વિશે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલે VTVના માધ્યમથી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. કોરનાના સંકટમાં સૌથી વધુ મગજમાં વિચારો ચાલતા હોય અને ત્યારે હૃદય પણ ભારે હોય છે ત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. તેજસ પટેલે VTVના માધ્યમથી દર્શકોને કોરોનાના માહોલમાં સ્ટેસ ફ્રી રહેવા માટે કેટલીક મહત્વની વાતો જણાવી હતી. તેમણે કોરોના સંકટમાં કેવી રીતે સાવચેતી રાખવાથી લઈને રસી ક્યાં સુધીમાં શોધાશે અને કોરોના વાયરસને લઈને કેટલીક સચોટ માહિતી વિશે વાત કરી હતી.
ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઘણો ઓછો છે
ભારતીયોની ઈમ્યુનિટી સારી છે
કામ સિવાય બહાર ન નીકળવું પણ મેડિકલ ઈમરજન્સીને ન ટાળો
ડો. તેજસ પટેલ પોતે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે અને તે પદ્મશ્રીનું સન્માન મેળવી ચૂક્યાં છે. તેમણે સૌપ્રથમ જણાવ્યું હતું કે પહેલાં તો આપણે આ કોરોના સંકટમાં જે ભયનો માહોલ ઊભો થયો છે તેને દૂર કરવો પડશે. બીજું લોકડાઉનમાં આખી જીંદગી નથી રહેવાનું, આપણે લોકડાઉન વિતશે પછી કેવી રીતે જીવશું તે વિશે વિચારો નહીં કે કોરોનાના ભય વિશે. આ વાયરસ એક સામાન્ય વાયરસ જેવો જ છે અને તેની સાથે જીવવાની આપણે આદત પાડવી પડશે.
ભારતીયોની ઈમ્યુનિટી સારી છે
ડૉ. તેજસ પટેલે કહ્યું હતું કે ભારતીયોમાં ઈમ્યુનિટી લેવલ વધારે છે. તે માટે BCG રસી ખૂબ મદદરૂપ બની છે. કારણ કે જેમ મેલેરિયા કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવા રોગ થાય ત્યારે વ્યક્તિમાં ઈમ્યુનિટી લેવલ એક સ્ટેપ વધતું જાય છે. આવામાં BCG રસી ઈમ્યુનિટી મજબૂત હોવામાં મહત્વનો ભાગ ભજવે છે.
લૉકડાઉનનું પગલું સરાહનીય છે
તેમણે કહ્યું હતું કે સરકારે જે પગલાં લીધાં છે તે ખરેખર સરાહનીય છે કારણ કે લૉકડાઉનથી લોકોમાં ગંભીરતા આવે કે આ મહામારી સામે ધ્યાન રાખવું પડશે અને સ્વાસ્થ્યને લગતી અમુક ચોક્કસ બાબતોનું પાલન કરવું પડશે. જેથી આ લૉકડાઉન ભારત માટે યોગ્ય પગલું છે.
શું ગરમીમાં કોરોના ખતમ થઈ જાય?
આ બાબતે ડૉ. તેજસ પટેલે કહ્યું હતું કે વાયરસની રચના સમજીએ તો સેન્ટરમાં પ્રોટીન છે અને બહારના ભાગમાં ફેટ છે. વાયરસની ઉપરની ફેટને ડિસઈન્ટીગ્રેટેડ કરો તો વાયરસને ખતમ થઈ શકે છે. સાબુ લગાડો ત્યારે ફેટ તોડી કાઢે છે જ્યારે સેનેટાઈઝરમાં આલ્કોહોલથી પણ આ જ પ્રોસેસ થાય છે. તેથી 42 કે 44 ડિગ્રીમાં કોરોના વાયરસ ઢીલો પડે છે તે ચોક્કસ વાત છે. આ ટાઈપના વાયરસ સામે આપણામાં રોગપ્રતિકાર શક્તિ વધુ સારી છે. હાર્ટએટેક, ડાયાબિટિશનું પ્રમાણ વધી ગયુ છે. પણ બીજા લોકો કરતા એશિયન દેશોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
રસી ક્યારે શોધાશે?
કોરોના વાયરસની રસી શોધવામાં એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. પરંતુ એવી 5 ટકા સંભાવના પણ છે કે કોરોનાની રસી ન પણ શોધાય. આપણે HIVમાં જોયું છે કે હજુ સુધી રસી શોધાઈ નથી એટલે આપણે આ વાયરસ સાથે હકારાત્મક રીતે જીવવાની આદત પાડવી પડશે.
ડૉ. તેજસ પટેલ સાથે સંવાદનો સંપૂર્ણ વીડિયો
ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઘણો ઓછો છે
સ્પેનિશ ફ્લૂમાં 10 કરોડ લોકો માર્યા ગયા હતા. પરંતુ એ વાયરસ આવ્યો ત્યારે આપણે મેડિકલી આટલા સજ્જ નહતા. આપણા દેશમાં પણ ઘેરઘેર તેનાથી મોત થયું હતુ. ઈબોલાએ ઈન્ડિયાને અસર નથી કરી પરંતુ ઈબોલામાં 100માંથી 10થી 20ના મોત થયા છે. સ્વાઈનફ્લૂમાં 100એ 4 જણા મરે છે. જ્યારે કોરોનાનો મૃત્યુદર જોઈએ તો ઘણો ઓછો છે.
ધૂળમાં રમવું અને એમ છતાં બચી જવું એ જ આપણી રોગપ્રતિકાર શક્તિ
કોઈ વાયરસને નાબૂદ નહીં કરી શકીએ. કો એક્ઝિસ્ટન્સ, વાયરસથી ઘભરાવા કરતા વાયરસની સાથે જીવવાની ટેવ પાડવી પડશે. થોડા વ્યક્તિને ખરાબ અસર થશે પરંતુ 2 કે 3 ટકા કેસ જ સિરિયલ અસર કરશે. આપણે એની સાથે જીવવાની અને હિંમત પૂર્વક તેની સાથે જીવવાની ટેવ પાડવી પડશે.
શું કોરોના વાયરસ ભવિષ્યમાં સામાન્ય થઈ જશે?
તેમણે કહ્યું હતું કે આપણે વાયરસ સાથે જીવન જીવવાની આદત પાડવી જ પડશે. કારણ કે કોરોના વાયરસને નાથી શકવું શક્ય નથી. કોરોનાના કેસમાં 85 ટકા રિકવરી આવી જાય છે. જેથી કોરોના વાયરસની સામે હિંમતપૂર્વક સામનો કરીને જીવવું પડશે. બસ, તમારે સાવચેતીપૂર્વક સામાન્ય જીવનની જેમ જ જીવવું જોઈએ.
નિયમોનું પાલન કરવું પડશે
ડરના માર્યા શિસ્તનું પાલન કરવાને બદલે તેને ટેવ પાડવી પડશે. શરદી ખાંસી વાળાએ માસ્ક પહેરવું, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, સોશિયલ ગેધરિંગ ટાળવું પડશે. ક્વોરન્ટાઈન કરાય એ કંઈ સ્પેશ્યલ ગુનો નથી પણ જો તમે ક્વોરન્ટાઈન થયા છો તો ક્વોરન્ટાઈનનો ગાળો પતે પછી સામાન્ય જીંદગી જીવો. ક્વોરન્ટાઈન લોકોના આસપાસના લોકોએ પણ તેમને હળવાશ ફિલ કરાવવી પડશે.
કામ સિવાય બહાર ન નીકળવું પણ મેડિકલ ઈમરજન્સીને ન ટાળો
એન્જાઈટી, અને એ સિવાયની સમસ્યાથી પીડાતા લોકોને કેવી રીતે ટ્રીટ કરવા? એ વાત સાવ સામાન્ય છે. તમારે કોરોનાના ચેુપથી ડરીને ઘરમાં પુરાઈ જવાની જરૂર નથી જો ગંભીરતા હોય તો તમે હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. દવાખાને જવાથી કોરોનાનો ચેપ લાગશે તેવો ડર ન રાખવો.
લોકડાઉન ખોલશો એટલે કેસ વધશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી
લોકડાઉન ખોલવું તો પડશે જ. ક્યાં સુધી લોકડાઉન રાખીશું? લોકડાઉન ખોલીશું એટલે કેસ વધશે પણ ખરા. ઉથલો પણ મારશે. પણ આપણે તેનાથી ગભરાવવા કરતા તેની સામે લડવાની અને સાવચેતીની જ જરૂર છે.
વાતાવરણને પણ વાયરસ સાથે સંબધ છે
કોરોનાના જ નહી પરંતુ HIV, ઈબોલા, સ્વાઈન ફ્લૂ, બર્ડ ફ્લૂ તમામ વાયરસ પશુ-પક્ષીમાંથી આવ્યા છે એટલે આપણે પશુ-પક્ષીઓને સ્પેશ પડાવી લીધી છે તે તેમને પાછી આપી દેવાની જરૂર છે. એટલે કે આપણે ગ્રીનકવરની ખરેખરી ચિંતા કરવાની જરૂર છે.