રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી. AHPની રચના બાદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી. રાજકોટ વિભાગના AHPના અધ્યક્ષ સહિત 20 લોકો AHPમાં જોડાયા છે.
ડૉ પ્રવીણ તોગડિયા ખેડૂતો માટે 15 ઓગસ્ટથી દેશવ્યાપી ખેડૂત આંદોલન કરશે. 8 ખેડૂત સંગઠન મળીને આંદોલન કરવામાં આવશે. સાથે તોગડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
તોગડિયાએ કહ્યું કે કેદ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ ઓછા આપવામાં આવી રહ્યા છે. પાછલી સરકાર કરતા હાલની સરકારે કંઈ નવુ નથી કર્યુ. પાક વીમા યોજના દ્વારા વીમા કંપનીઓએ કમાવવાનું કાવતરું કર્યુ છે. ખાનગી વીમા કંપનીઓને $ 15 હજાર કરોડ કમાવ્યા છે.