વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ VHPમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમવાર પોતાનું નિવેદન આપ્યું છે. પ્રવીણ તોગડીયાએ નિવેદનમાં PM નરેન્દ્ર મોદીને નિશાને લીધા હતા. PM મોદી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે હિંદુઓની લાશ પર સત્તા પર બેસેલા સિકંદર કાયદો બનાવવો પડશે.
તોગડિયાએ જણાવ્યું કે નવા સંગઠનની શરૂઆત કરવામાં આવશે. આગામી 17 એપ્રિલથી શરૂ થનાર અનિશ્ચિતકાળના ઉપવાસથી સંગઠનની શરૂઆત કરવામાં આવશે. રામમંદિર અને હિંદુ જ ફર્સ્ટના સંકલ્પ સાથે સંગઠનની રચના કરવામાં આવશે. જેના માટે દેશભરમાં ફરીને કાર્યકર્તાઓને સંગઠનમાં જોડીશું. મારો વિશ્વાસ છે કે હિંદુ કાર્યકર્તા સંગઠનમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા પ્રવીણ તોગડિયાએ રાજીનામુ આપ્યું છે. રાજકીય હાથાનો ભોગ બન્યા હોવાનો તેઓનો આક્ષેપ છે. ત્યારે પ્રવીણ તોગડિયા નવું સંગઠન બનાવવા જઈ રહ્યાં છે. જેના પગલે આગામી 17મી એપ્રિલથી તેઓ અનિશ્ચિતકાળના ઉપવાસ કરી નવા સંગઠનની રચના કરશે. જેમાં દેશભરના હિન્દુઓને એકત્ર થવા આહવાન કરશે.