સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની હજુ સુધી કોઈ દવા શોધાઇ નથી પરંતુ કેટલાક આયુર્વેદિક ઉપચાર તમને સ્વસ્થ રાખી શકે છે. ત્યારે આ આયુર્વેદિક ઉપચાર અંગે ડૉ. હેતલ આચાર્યએ VTV સાથે વાતચીત કરી હતી અને કેટલીક માહિતી આપી હતી.
શું કોરોનાની સારવાર આયુર્વેદિક ઉપચારથી શક્ય છે?
ભારત સરકાર અને આયુષ મંત્રાલય દ્વારા જે પગલા લેવાયા છે ખાસ કરીને આયુર્વેદથી કોરોનાથી બચી શકાય તેની માટે છે. આયુર્વેદ કોઈ પેથી નથી પરંતુ સ્વસ્થ રહેવા માટેની એક પદ્ધતિ છે. આયુર્વેદ માત્ર કોઈ નુસ્ખા કે ઘરગથ્થુ ઉપચાર સુધી સીમિત નથી પરંતુ યોગ, પ્રાણાયામ અને માનસિક સ્થિતિને કેવી રીતે રાખવી તેનો સમન્વય છે. આવામાં આયુર્વેદ પ્રમાણે જો યોગ્ય ઉપચાર અને ઉપાયો કરવામાં આવે તો ચોક્કસ કોરોનાને હરાવવા માટેની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય
ધાણા-જીરુ નાંખીને ગરમ પાણી પીવું જોઈએ
ગરમ પાણી પીવું : કહેવાય છે કે ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે પરંતુ કેવી રીતે પીવું તેની જાણકારી પણ જરૂરી છે. કારણ કે ગરમ પાણી પીવાથી ઘણી વખતે એસિડીટી, યુરિનમાં બળતરા જેવી સમસ્યા અમુક લોકોને થઈ શકે. આવામાં આખા ધાણાં કે ધાણાજીરુનો પાવડર નાંખીને ઉકાળીને પાણી પીવું જોઈએ.
ઉકાળો કેવા પ્રકારનો હોવો જોઈએ
5થી 7 તુલસીના પાન, તજ, મરી, અજમો એક ચપટી અને તેની સાથે 8 થી 10 એલચીના દાણા અને ખાંડેલી વરિયાળી, તેમ જ 2 ચપટી સૂંઢ. તેમાં લીંબુનો રસ, ગોળ, એક ચપટી હળદર પણ નાંખી શકો. ડાયબીટિસ ન હોય તો સાકર પણ નાંખી શકાય.
ક્યારે અને કેવી રીતે ઉકાળો પીવો જોઈએ?
સવારે આશરે 10થી 11ની વચ્ચે અને ગરમીના સમયમાં સવારે વહેલા પીવો જોઈએ. ઔષધિઓના ગુણો મળે તેમ માટે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે આ ઉકાળો ઈશ્વરને પ્રાર્થના કરીને ગ્રહણ કરવો જોઈએ.
કોરોના સંકટમાં ભય ઓછો સાવચેતી વધારે રાખવી જરૂરી
શરીરને સ્વસ્થ રાખવા માટે શારિરીકની સાથે માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે. આયુર્વેદમાં તેની માટે મંગલકાર્યો કરવાનું કહેવાયું છે. જેમ કે પ્રાણાયમ, હવન, આસનો, યોગ વગેરે. આપણે કોરોનાથી માનસિક રીતે ભયભીત છીએ અને આખો દિવસ મનમાં ભય ચાલતો રહે છે. તેના કારણે આપણી પ્રાકૃતિક શક્તિ ઓછી થાય છે અને રોગ થવાની સંભાવના વધી જાય છે.
માનસિક સ્વાસ્થ્ય મજબૂત કરવું જરૂરી
માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે માટે ત્રણ સ્તરે કામ કરવું પડશે. 1) આયુર્વેદમાં કહ્યા પ્રમાણે સૂર્યોદય પહેલાં જાગી જવું પડશે. 2) તમારા પરિવારનો નિત્ય ક્રમ બદલો જેમાં નિશ્ચિત સમયે જાગવું, જમવું અને કાર્યો કરો જેથી પરિવારમાં એક હોવાની ભાવના રહેશે. 15થી 20 મિનિટ પોતાની જાત માટે સમય આપો. 3) આપણા આભામંડળને મજબૂત બનાવવું કારણ કે કોઈ પણ બીમારી સૌપ્રથમ અહીંથી પ્રવેશ કરે છે. તેને મજબૂત કરાવવા માટે 30 મિનિટ સુધી યોગ, પ્રાણાયમ અને ધ્યાન કરવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું
તેમણે કહ્યું હતું કે ગર્ભસંસ્કાર મુજબ આહાર-વિચારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે પોતાના આહાર, વિચાર અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી કોરોનાથી બચાવી શકાય. આયુર્વેદ પ્રમાણે તેમનો ડાયેટ રાખવું જોઈએ અને ગર્ભસંસ્કારના પ્રમાણે તમારા વિચારો કરવા જોઈએ.