કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીનું પરિણામ-હર્ષવર્ધન
હજુ પણ સમય છે, આપણે સુધરી જવું પડશે, અન્યથા પરિણામ ભારે આવશે
હર્ષવર્ધને જણાવ્યું કે આપણને કોરોના સાથે પ્રેમ થઈ ગયો છે તેથી આપણે તેની જવા દેતા નથી. લોકો આ બીમારી અંગે બેદરકાર થઈ ગયા છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં નથી. કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીનું પરિણામ છે.
તેમણે કહ્યું કે જેમ જેમ સામાજિક કાર્યક્રમો વધી રહ્યાં છે તેમ તેમ કોરોનાનો કેસો વધી રહ્યાં છે. લોકો માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી કરતા.
હું કહેવા માગું છું કે અમે દેશના તમામ રાજ્યોની સાથે મળીને ઈમાનદારીથી કોરોનાની સામે લડાઈ લડી છે. અમે આ કેસમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યો નથી. દેશનું કોઈ પણ રાજ્ય એમ ન કહી શકે કે અમે રસી મળી નથી.
આરોગ્યમંત્રીએ ક હ્યું કે કોરોનાની બીજી લહેર સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય છે. હવે આપણે કોરોનાની સામે કેવી રીતે લડવું તે શીખી ગયા છીએ. જોકે આપણી નજીવી ભૂલ પણ કોરોનાને વકરાવી શકે છે.