સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી હર્ષવર્ધને બુધવારે કહ્યું કે સરકાર કોરોનાની રસીના ઉત્પાદન અને વિતરણને લઈને મજબૂત પરિસ્થિતિનું તંત્ર સ્થાપિત કરી રહીછે. જેથી માગને પૂરી કરી શકાય.
ભારતમાં કોરોનાની રસી બનાવવાની સૌથી વધારે ક્ષમતા
આગામી દિવસોમાં માંગને પુરી કરી શકાય તે માટે તૈયારીઓ
દેશમાં કોરોનાના કુલ કેસ 92 લાખ 66 હજાર 697
મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે જ્યારે દુનિયા કોરોનાની રસી વિકસવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભારત રસી વિકસિત કરનારા અને મોટા પાયે તેના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં લાગ્યો છે
ભારતમાં કોરોનાની રસી બનાવવાની સૌથી વધારે ક્ષમતા
તેમણે કહ્યું કે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની મદદતી ફિક્કી દ્વારા આયોજિત ડિજિટલ ‘વૈશ્વિક આરએન્ડડી સમ્મેલન 2020 ’ને સંબોધિત કરતા કહ્યું કે દુનિયાના ઔષધાલય ગણાતા ભારતમાં કોરોનાની રસીના મોટા પાસે બનાવવાની સૌથી વધારે ક્ષમતા છે.
આગામી દિવસોમાં માંગને પુરી કરી શકાય
હર્ષવર્ધને કહ્યું કે હવે આપણે રસી ઉત્પાદન તથા તેના વિરરણ પરિસ્થિતિક તંત્રને મજબૂત કરવાની દિશામાં પગલા ભરવાના શરુ કરી દીધા છે. જેથી આગામી દિવસોમાં માંગને પુરી કરી શકાય.
ભારતની સ્થિતી આવી છે
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના એક દિવસમાં 44 હજાર 699 નવા કેસ નોંધાયા છે. ત્યારે એક દિવસમાં 36 હજાર 582 લોકો રિકવર થયા છે. એક દિવસમાં 518ના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 1 લાખ 35 હજાર 261 એ પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ રિકવર દર્દી 86 લાખ 77 હજાર 986 છે. જ્યારે કોરોનાના કુલ કેસ 92 લાખ 66 હજાર 697 જેમાંથી એક્ટીવ કેસ 4 લાખ 51 હજાર 351 છે.