કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળાવારે 6 એપ્રિલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 11 રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક કરી.
ડો. હર્ષવર્ધને મંગળાવારે 6 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી
ડો. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સથી 11 રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક કરી
દેશનો કોરોના રિકવરી રેટ 92.38 ટકા છે
ડો. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સથી 11 રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળાવારે 6 એપ્રિલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ 11 રાજ્યો છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનાં સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વાત છે. આ રાજ્યોમાં છેલ્લા 2 અઠવાડિયામાં કોવિડના નવા કેસ અને મૃત્યુદરમાં વૃદ્ધિ જોવા મળી છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાની રસીકરણ અભિયાનની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે દેશમાં રસીની અછત નથી. રાજ્યોમાં સતત રસી પુરી પાડવામાં આવી રહી છે.
દેશનો કોરોના રિકવરી રેટ 92.38 ટકા છે
બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે દેશનો કોરોના રિકવરી રેટ 92.38 ટકા છે. સાથે તેજીથી નવા કેસના મામલામાં વધારા બાદ મૃત્યુ દર 1.30 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યુ કે વર્તમાન પરિદ્રશ્યને જોતા આપણે આપણા જૂના વ્યવહારને છોડવો પડશે. કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે. કેન્ટોનમેન્ટ જોન બનાવવાની રણનીતિ કોઈ રોકેટ સાઈન્સ નથી. આપણે ગત વર્ષે સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો અને આવું ફરીથી કરી શકાશે.
આ રાજ્યોમાં એક્સપર્ટ્સની 50 ટીમો તૈનાત કરવામાં આવી
બેઠકમાં ડો. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોનાથી 60 વર્ષથી વધારેની ઉંમરના વૃદ્ધોનું વધારે મોત થયું છે. તેમણે ગત 4 અઠવાડિયામાં ટેસ્ટિંગમાં વૃદ્ધિને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તે રાજ્યોમાં કેન્દ્રીય ટીમ મોકલી હતી. જ્યાં કોરાનો કહેર વધારે છે. આ ક્રમમાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં એક્સપર્ટ્સની 50 ટીમો તૈનાત કરવામાં આવી છે.