વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતા તરીકે સુપ્રસિદ્ધ ડૉ. એચ એલ ત્રિવેદીનું 87 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ઘણાં લાંબા સમયથી બીમાર એચ એલ ત્રિવેદીએ પોતે જ બનાવેલી અમદાવાદની સિવિલ કિડની હોસ્પિટલનીમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડૉ ત્રિવેદી ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પર મેડિકલલ ક્ષેત્રે બેન્ચમાર્ચ સ્થાપિત કર્યો હતો.
ગરીબોના બેલી તરીકે ઓળખાતાં ડૉ ત્રિવેદી હવે નથી રહ્યા
વિશ્વના લાખો દર્દીઓ પર સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર
કિડની ટ્રાન્સપ્લાન્ટના સફળ કેસોમાં ડૉ ત્રિવેદીનો રેસિયો 50 વર્ષનો છે
ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રનું વિરલ વ્યક્તિત્વ ખોવાયું છે. જાણીતા તબીબ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું નિધન થયું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રે તેમણે નામના મેળવી છે. હજારો લોકોની જીવનભર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. તેમજ દેશ-વિદેશમાં તેમના ક્ષેત્ર ઉજવળ પ્રસિદ્ધિ હાસલ કરી હતી. તેમજ જીવનભર પોતાનું કાર્યક્ષેત્ર ભારત અને ગુજરાતમાં રહીને સ્વાસ્થ્ય ક્ષેત્રે હજારો લોકોને નવજીવન અર્પણ કર્યુ છે. તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક
Dr. HL Trivedi was a stalwart of the medical world. He made a mark as an excellent doctor, known for his dexterity and compassion. His work in nephrology will ensure better health for several people in the times to come. Pained by his demise. Condolences to his family. Om Shanti.
ડૉક્ટર ત્રિવેદીનું 87 વર્ષની ઉમરે નિધન થયું છે. આવતીકાલે કિડની હોસ્પિટલમાં તેમનો પાર્થીવ દેહ રાખવામાં આવશે. સવારે 8થી 11 વાગે દર્શન માટે કિડની હોસ્પિટલમાં રાખવામાં આવશે. જ્યારે 12 વાગે દુધેશ્વર ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. ડૉક્ટર ત્રિવેદી લાંબા સમયથી બિમાર હતાં. તેમજ તેઓ કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં.
ગરબી દર્દીઓના બેલી તરીકે ઓળખાતાં
રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાંથી કિડનીનો દર્દીઓ આવે એટલે અને કોઈ પણ વિટંબણામાં હોય એટલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એચ એલ ત્રિવેદી કિડની હોસ્પિટલ હંમેશા સાથે હોય. લાખો દર્દીઓને ઝીરો રૂપિયામાં ટ્રિટમેન્ટ કરનાર વિશ્વની એકમાત્ર હોસ્પિટલ છે.
વિશ્વની એકમાત્ર કિડની યુનિવર્સિટીના સ્થાપક હતા
વિશ્વમાં સમયાંતરે વધી રહેલાં કિડની અને લિવરના રોગો અને ફેલીયોર રેસિયો પર રિસર્ચ કરવાં અને કિડની દર્દીઓને નવજીવન આપવાં ડૉ એચ એલ ત્રિવેદીએ વિશ્વમાં સૌ પ્રથમ અને એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે આજે લાખો દર્દીઓને નવજીલન આપી રહી છે.
5 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો
વિશ્વમાં 5 હજાર કરતાં વધુ કિડનીના દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિશ્વ રેકોર્ડ ડૉ ત્રિવેદીની હોસ્પિટલે પ્રસ્થાપિત કર્યો છે. ડૉ એચ એલ ત્રિવેદીને ભારત સરકારનું શ્રેષ્ઠ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.