ડો. ગુલેરિયાએ કહ્યું કે કોરોનાની મહામારી ખતમ થઈ નથી માટે નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે. વેક્સીન 8-10 મહિના સુધી સુરક્ષા આપે છે.
કોરોનાને લઈને ગુલેરિયાનું મોટું નિવેદન
કહ્યું મહામારી નથી થઈ ખતમ
નિયમોનું પાલન જ બચાવશે મહામારીથી
દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તેના અનેક કારણો છે. સૌથી મોટા કારણમાં લોકોની બેદરકરી છે. તેમને લાગે છે કે કોરોનાની બીમારી ખતમ થઈ ચૂકી છે.
નિયમોનું પાલન જરૂરી
ડો. ગુલેરિયા કહે છે કે અત્યારે જે રીતે મહામારી ફેલાઈ રહી છે તે રીતે કોરોનાથી બચવા નિયમોનું પાલન જરૂરી છે. જ્યારે વધુ જરૂરી ન હોય તો યાત્રા કરવાથી બચવું યોગ્ય છે.
વેક્સીન આટલા સમય સુધી આપે છે સાથ
ડો. ગુલેરિયાનું કહેવું છે કે કોરોનાની વેક્સીન સુરક્ષિત છે અને તે 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી તમને સુરક્ષિત રાખી શકે છે. આ પછી તેની અસર રહેતી નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતમાં વેક્સીનનો કોઈ દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.
સંક્રમણની ચેનને રોકવાની રહેશે
નીતિ આયોગના સભ્ય વીકે પોલનું કહેવું છે કે કોરોના સંક્રમણની ચેનને રોકવું જરીરી છે. આ માટે વેક્સીન જ એક ઉપાય છે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોન અને રણનીતી પર ખાસ કામ કરવાની જરૂર છે. તો જ સંક્રમણને કાબૂમાં લાવી શકાશે. પોલે કહ્યું કે ગંભીર બીમારી સાથે જોડાયેલા વધારે ઉંમરના લોકોમાં મૃત્યુદર વધારે રહે છે. આ કારણ છે કે તેમને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવામાં આવે.
બંને વેક્સીન અસરકારક છે
ડો. ગુલેરિયાએ કહ્યું છે કે કોવેક્સીન અને કોવિશીલ્ડ બંને વેક્સીન અસરકારક છે. બંને વેક્સીન એન્ટી બોડી વિકસિત કરવામાં સમાન પરિણામ આપે છે. માટે જે વેક્સીન મળે તે લગાવી લેવી.
દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. હાલમાં વેક્સીનેશનના બીજા તબક્કામાં ગંભીર બીમારીથી પીડિત 45-60 વર્ષના અને સાથે જ 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સીન અપાઈ રહી છે.