ગુજરાતમાં અમરેલીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે કહેશો કે ના હોય. સિનિયર સિટિઝન ભેજાબાજોએ મળીને એક એવી ઠગાઈનું પ્લાનીંગ કર્યુ હતુ જે પરફેક્ટ ક્રાઈમ હતુ પરંતુ પોલીસની બાજ નજરમાં તેમનું કાવતરૂં સ્કેન થઈ ગયુ અને તે પકડાઈ ગયા. આ સિનિયર ઠગ્સોએ ભેગા મળીને સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ અને બાબ આંબેડકરની નકલી સહીઓ વાળા દસ્તાવેજ રેડી કર્યા હતા.
ફોરેન્સિકે ભાંડો ફોડ્યુ
કોણ છે આ ઠગ
મેતરનો દાવો જમીન તેના દાદાની છે
આ ઘટના અમરેલી શહેરની છે. કેટલાક ઠગે ભેગા મળીને અમરેલી શહેરની અડધાથી ઉપર જમીન પચાવી પાડવા 400 જેટલા નકલી એન્ટીક દસ્તાવેજ તૈયાર કર્યા હતા. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ શખ્સો સિનિયર સિટિજન હતા અને તેમણે જેમની સહી વાળા દસ્તાવેજો તૈયાર કર્યા હતા તે આપણા દેશના મહાન નેતા સરદાર પટેલ, ડો.રાજેન્દ્ર પ્રસાદ અને બાબા આંબેડકર હતા.
કોણ છે આ ઠગ
મૂળ અમરેલીના વતની અને હાલમાં વલસાડના ગોદાલનગરમાં રહેતા વલી સુલેમાન મેતર નામની વ્યક્તિએ તેના બે મિત્રો કુલમુખત્યાર યુસુફ ઈસ્માઈલ મોતીવાલા અને વિનોદ શામજી ભાડ દ્વારા ગત ર4મી માર્ચ ર008ના અમરેલીમાં આવેલી કિંમતી જમીનને પડાવવા કારસો રચ્યો હતો.
આ તમામ ઠગબાજો સીનિયર સિટિઝન છે. જે પૈકી બે વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સુત્રધાર વાલી મેતર(72) વાપીનો રહેવાસી છે. જેમણે પોતાના મિત્રો યુસુફ મોતીવાલા અને વિનોદ ભાડ સાથે મળીને આ કારસો રચ્યો હતો. આ દસ્તાવેજો અનુસાર મોતીવાલા અને ભાડ પાસે જમીનની માલિકીની પાવર ઓફ એર્ટની હતી. દસ્તાવેજો ગાયેકવાડી સમયના લાગે તે માટે તેમણે પૂરેપરી તૈયાર કરી હતી અને તેને એન્ટીક લૂક આપ્યુ હતુ.
દાદાએ આ જમીન ગુજરાત સરકારને ભાડાપટ્ટે આપી
મેતર 2008થી આ જમીન ઉપર નજદર રાખી રહ્યો હતો એને તેનું કહેવું હતુ કે તેના દાદા ગોરા દોસાની છે આ જમીન પંડિત જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલે જ્યારે આઝાદી વખતે રજવાડા મર્જ કર્યા ત્યારે તેમને સોંપવામાં આવી હતી. તેના દાદાએ આ જમીન ગુજરાત સરકારને ભાડાપટ્ટે આપી હતી.
જોકે 8 મહિના સુધી આ અંગે તપાસ કરીને અમરેલી કલેક્ટર, એસપી અને ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગરની ટીમે સમગ્ર કૌભાંડ પકડી પાડ્યું હતું. અમરેલીના પોલીસના જણાવ્યાનુસાર આ દસ્તાવેજ તમામ પ્રકારે ગાયકવાડ રાજાશાહી સમયના લાગે તે માટે તમામ તકેદારી લીધી હતી. આ ડોક્યુમેન્ટ મુજબ અમરેલીની 45 ટકા જમીન પર મેતરના દાદીનો હક્ક બને છે. દસ્તાવેજ મુજબ ગાયકવાડશાહીમાં તેઓને અહીંના એડમિનિસ્ટ્રેટર બનાવીને આ જમીન ભેટમાં આપવામાં આવી હતી.
મેતરનો દાવો જમીન તેના દાદાની છે
મેતરે 2008 થી સરકારી જમીનો પર એવો દાવો કર્યો હતો કે છુટાછવાયા જમીનના ટૂકડા તેમના દાદા ગોરા દોસાને ભેટ આપવામાં આવ્યા હતા, તેણે દાવો કર્યો હતો કે, તેના દાદાને ગાયકવાડ શાસન દરમિયાન અમરેલીના સંચાલક હતા તેમની પાસેથી જમીન મળી છે. આઝાદી બાદ અને રજવાડાઓના વિલીનીકરણ પછીના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગૃહ પ્રધાન સરદાર પટેલ સિવાય અન્ય કોઈએ તેમને ભેટ આપી હતી. મેતરે દસ્તાવેજોમાં દાવો કર્યો હતો કે તેમના દાદાએ ત્યારબાદ 1950 અને 1951 માં રાજ્ય સરકારને જમીનના ટૂકડા ભાડે આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો જમીન તેમને પરત આપી શકાતી નથી, તો લીઝની જેમ પ્રવર્તમાન બજાર કિંમતો મુજબ તેમને વળતર આપવું જોઈએ. કેટલાક જમીનના કરારો 2017, 2018, 2019 માં સમાપ્ત થઈ ગયા છે.
ગયા વર્ષે મામલો ઓકમાં પહોંચ્યો
ગયા વર્ષે માર્ચમાં, ઓકએ તેની અરજીનો નિકાલ કરી દીધો હતો કારણ કે તેમના દાવાની સાબિતી આપતા કોઈ મહેસૂલ રેકોર્ડ મળ્યા નથી. મામલો શંકાસ્પદ જણાતા ઓકે વિવાદની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી.