ગુજરાતમાં કોરોના વાયરસની પેટર્ન અને તેના સંક્રમણ વિશે ગુજરાત સરકારના સલાહકાર ડો. અતુલ પટેલે VTV News સાથેની વિસ્તારથી વાત કરી હતી. ઈસુદાન ગઢવીએ ખાસ ડૉ. અતુલ પટેલ સાથે કોરોના વાયરસ વિશે વાત કરી હતી ત્યારે જાણો આ વાયરસનું અતથી ઈતિ..
ગુજરાત સરકારના સલાહકાર અને ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલે કોરોના વાયરસની વાત કરતા જણાવ્યું હતુ કે, કોરોના 3 પ્રકારના કોરોના હોય છે જેનાથી શરદી-ખાંસી થતી હોય છે. આગળના બે MERS , SARS આ બંને વાયરસ કોરોના વાયરસ જ હતા. પરંતુ 2019માં ડિસેમ્બરથી જે વાયરસ આવ્યો છે તે પણ કોરોના વાયરસ જ છે. પણ સામાન્ય વાયરસ કરતા Covid 19ની ક્ષમતા કંઈક વધારે છે.
મોટા હુમલા અને મોત થાય છે તેમાં મ્યુટેશન થયા છે તે આ વાયરસમાં થયા છે. એમાં જિનોમ થઈને તેમાં મ્યુટેશન થયુ છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જવાની પ્રક્રિયા જેને RO કહેવાય છે એટલે કે એક વ્યક્તિ કેટલાને ચેપ લગાડે તે R0 2.7 દેખાતો હતો પણ હાલ તેનો ચેપ લગાડવાની શક્યતા 5 થી 7ની થઈ છે.
MERS કોરોના છે તેની ચેપ લાગવાની ક્ષમતા ખુબ ઓછી છે. વુહાનમાં તેની સંક્રમણ કરવાની ક્ષમતા ઓછી હતી. પરંતુ તે વુહાનને છોડીને તે ચીનમાં ફર્યો ત્યારે તેની L સ્ટ્રેન હતી. પણ આમાં મ્યુટેશન થયુ અને મ્યુટેશન એટલે કે વાયરસ જે રેપ્લિકેશન કરે એટલે એમાં મ્યુટેશન થતા હોય એમાં જે ભુલ થાય એમાંથી વાયરસની તીવ્રતા અને તેના રચના બદલી દે છે. 90 પર્સેન્ટ L સ્ટ્રેન S સ્ટ્રેન થયું છે.
શું છે L સ્ટ્રેન?
કોરોના વાયરસના બે ખાસ સ્ટ્રેન છે – L અને S સ્ટ્રેન્સ. આમાંથી, L તે છે જે મૂળ વુહાનમાં ફેલાયો છે. તે વધુ રોગકારક છે અને ખૂબ જ ગંભીર રોગ આપે છે અને મૃત્યુ પણ ઝડપી થાય છે. વુહાન પછી, L સ્ટ્રેનનું સ્પાંટેનિયસ મ્યૂટેશન થયુ, જે S સ્ટ્રેનમાં બદલાઈ ગયું. તે સહેજ હળવુ છે, ઓછો રોગકારક છે.
ન્યૂયોર્કમાં સંક્રમણ L સ્ટ્રેન ટ્રેન્ડ હતો.
ભારતમાં અલગ અલગ પ્રકાર છે. કેરળમાં સૌથી પહેલો કેસ નોંધાયો હતો. તેમાં વુહાનથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા કોરોના ભારત આવ્યો હતો. પછીથી દુબઈથી આવેલા લોકોના કેસ હતા જે S સ્ટ્રેન પ્રકારનો હતો. આ ઉપરાંત અમેરિકામાં ન્યૂ યોર્કમાં સૌથી વધુ સંક્રમણ થવામું મુખ્ય કારણ તેનો યુરોપ સાથે ટુરિઝમ અને બિઝનેસનો સીધો સંબંધ હોવાનો છે. જેના કારણે ત્યાં વધુ પ્રમાણમાં કોરોના વાયરસ ફેલાયો છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
યુરોપથી આવેલા છે જે લોકો, ઈટાલી ફ્રાન્સ, તેઓ L સ્ટ્રેન લઈને આવ્યા છે. એટલે આપણા રાજ્યમાં રોગની માત્રા વધારે છે. એટલે ગુજરાતમાં મિક્સ સ્ટ્રેન છે અને હજુ તેના પર તપાસ ચાલી રહી છે કે ચોક્કસ કયા પ્રકારનો સ્ટ્રેન ગુજરાતમાં છે. કોરોના વાયરસ લાંબો સમય સુધી રહેશે પરંતુ સાવચેતીની સાથે રહીશું તો આ વાયરસથી વધુ ડરવાની જરૂર નથી.
કોરોનાના મુખ્ય લક્ષણો શું છે?
તાવ એ સૌથી મોટામાં મોટું લક્ષણ છે જો તાવ 101 એક 102થી ઉપર હોય તો તે સૌથી મોટું લક્ષણ છે.
નાક ભારે લાગવું અને ગળામાં સોજો આવવો
40 ટકા લોકોને સૂકી ખાંસીના લક્ષણો દેખાય છે.
જ્યારે કોઈ દર્દીને લાગે કે ચાલતી વખતે સામાન્ય હલનચલનમાં પણ શ્વસનની તકલીફ થાય તો તે કોરોનાના લક્ષણો હોઈ શકે
કારણ વગરનો થાક લાગે તે પણ એક મુખ્ય લક્ષણ છે
ન્યૂયોર્કમાં જે નવું લક્ષણ બહાર આવ્યું છે તે જીભનો ટેસ્ટ જતો રહે અને સૂંઘવાની ક્ષમતા જતી રહી છે. આવા લક્ષણો લગભગ 8 ટકામાં જોવા મળે છે.
લક્ષણો ન હોય તેનું શું?
ડૉ. અતુલ પટેલના જણાવ્યા અનુસાર સૌપ્રથમ કોરોનાથી જે મોટો ભય ઊભો થયો છે તે દૂર કરવાની જરૂર છે. જેમને પણ કોરોના થાય છે તેનું મૃત્યુ જ થશે એવું માની લેવાની જરૂર નથી. કારણ કે કોરોનાથી 3 થી 5 ટકા લોકોની મૃત્યુ થાય છે અને તેમાં પણ જે ગંભીર રીતે બીમાર હોય છે તેમની જ પરિસ્થિત વધુ વણસે છે. જેમને લક્ષણો નથી તેમનામાં એવું બને છે કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ પૂરતી હોય છે અને આપોઆપ જ આ વાયરસ સામે શરીર લડીને તેને ખતમ કરી નાંખે છે.
ડાયાબિટીસ અને હાર્ટ-બ્લડ પ્રેશરના દર્દીઓને કેમ સાવચેત રહેવું?
આ બાબતે તેમણે લોહીની અંદરની નળી જે એન્ડોથિલિયમ નિષ્ક્રિય થવાને કારણે ડાયાબિટસ, હાર્ટ એટેક કે બ્લડ પ્રેશર થવાનું મુખ્ય કારણ છે. આવામાં જો આ દર્દીઓને કોરોના વાયરસનો ચેપ લાગે છે તો વાયરસ જ્યારે અહીં એટેક કરે છે તો તેની સામે લડવાની સક્ષમતા રહેતી નથી. એટલે આવા દર્દીઓને ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
હોમ આઈસોલેટ પણ કરી શકાય
હોસ્પિટલ આઈસોલેટ કરવાનું કારણ કોરોનાનો ફેલાતો ચેપ અટકાવવાનું છે. જ્યારે વધારે બીમાર દર્દી આવે તો માઈનોર લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલમાં ન રાખે તો ચાલે. ઘરે રહીને સાજા થઈ શકે પણ તે માટે હોમ આઈસોલેશન કરી શકાય. ઘરમાં અલગ રૂમ જોઈએ તો પણ તે રહી શકે. અને દવા વગર પણ ઘણા લોકો સાજા થઈ શકે છે.
માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી
કોરોના સંકટમાં માસ્ક એ સૌથી મોટું હથિયાર છે. તેનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે તાઈવાનમાં લોકોની સામાન્ય સ્થિતિમાં પણ માસ્ક પહેરવાની આદતને કારણે ચીનની બાજુમાં આવેલું હોવા છતાં ત્યાં કોરોનાની અસર જોવા મળી નથી. જેથી
પ્રતિદ્રવ્યો રસી જેવું કામ કરે છે
બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોરોના દર્દીમાંથી અન્ય કોઈ વ્યક્તિને ચેપ લાગે છે અને તેની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેનામાં પ્રતિદ્રવ્યો (એન્ટીબોડી) બનવાનું શરૂ થઈ જાય છે. આ પ્રતિદ્રવ્યો બનવાનો સમય આશરે 2 સપ્તાહ જેટલો લાગતો હોય છે.
ગેરમાન્યતાઓને કરી દૂર
ડો.પટેલ સાથેની ચર્ચામાં તેમણે આલ્કોહોલ પીવાથી કે ગરમ કે ઠંડી આબોહવાને કારણે કોરોના વાયરસની ખતમ થવાની સંભાવનાને પણ નકારી હતી. તેમણે કહ્યું હતું કે આ તમામ વાતો ખોટી છે અને તેને કોઈ લેવા-દેવા નથી.