વેરાવળનાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ ન લેતા ર્ડા. ચગનાં દિકરાએ હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. આવતીકાલે હાઈકોર્ટ કંટેમ્પ્ટ અરજી પર ચુકાદો આપશે.
વેરાવળનાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ
આવતીકાલે હાઈકોર્ટ કંટેમ્પ્ટ અરજી પર આપશે ચુકાદો
પોલીસે ફરિયાદ ન લેતા ર્ડા. ચગનાં દીકરેએ કરી છે કંટેમ્પ્ટ અરજી
ર્ડા. અતુલ ચગ આપઘાત કેસમાં હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ સમય દલીલ ચાલી હતી. ત્યારે પીઆઈ સિવાયનાં અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા તેમજ ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ પોલીસ અધિકારીની એફિડેલિટ સામે અરજદાર દ્વારા રિજોઈન્ડર કર્યું હતુ. જેમાં અરજદારે જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરીએ ઘટના બની અને એ જ દિવસે સ્યુસાઈટ નોટ પણ મળી હતી. ત્યારે હજુ તપાસ ચાલુ હોવાની વાત પોલીસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટમાં સ્યુસાઈટ નોટમાં અક્ષર ર્ડા. ચગનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પોલીસે ફરી સ્યુસાઈટ નોટ એફએસએલમાં તપાસ માટે મોકલી હોવાનું કહ્યું હતું. શા માટે તેનો ઉલ્લેખ એફિડેવિટમાં નથી.
હાઈકોર્ટમાં આવતીકાલે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે
PIના વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર મિતેષ અમીને દલીલો કરી હતી. ત્યારે પબ્લીક પ્રોસિક્યુટરે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કોર્ટને બાંહેધરી આપી હતી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફોજદારી ગુનો બને છે કે નહી એ કોર્ટ નક્કી કરે. અરજદાર પક્ષે દલીલ માટે આવતીકાલનો સમય માંગ્યો હતો. ત્યારે હાઈકોર્ટમાં આવતીકાલે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે.
આવતીકાલે હાઈકોર્ટ કંટેમ્પ્ટ અરજી પર આપશે ચુકાદો
વેરાવળનાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસને લઈને મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યારે અતુલ ચગ આપઘાત કેસમાં પોલીસ ફરિયાદ નોંધાશે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટરે ફરિયાદ નોંધવાની બાંહેધરી આપી છે. ર્ડા. ચગનાં દિકરાએ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ અરજી આપી છે. આવતીકાલે હાઈકોર્ટે કંટેમ્પ અરજી પર ચુકાદો આપશે. પોલીસે ફરિયાદ ન નોંધતા ર્ડા. ચગનાં દિકરીએ કંટેમ્પ્ટ અરજી કરી છે.