અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં DPSનું નામ સંડોવાતા DPSએ ભીનું સંકેલવા હવાતી મારી રહી છે. DPSની સાખ ખાખમાં મળતી જોઈ સ્કુલનાં સંચાલકોએ આશ્રમ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો છે.
DPSએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો
DPSએ આશ્રમ સાથે 5 વર્ષ માટે કરાર કર્યો હતો
DPSએ CBSEની મંજૂરી લીધી છે કે નહી તે એક સવાલ
DPSએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો
અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો DPSનાં સંચાલકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમજ DPSએ આશ્રમ ખસેડવા માટે નોટિસ આપી છે. DPSએ આશ્રમનાં સંચાલકોને DPSની જગ્યાએ બનેલા આશ્રમને 3 મહિનામાં ખસેડવા માટે નોટિસ આપી છે. DPSએ નોટિસ આપ્યાની જાણ DEO અને પોલીસને કરી છે. ઉલ્લેખનીય છે કે DPSએ કોર્પોરેશ સોશિયલ રિસ્પોન્સિબલ (CSR) અતર્ગત આ જમીન આશ્રમને કરાર હેઠળ આપી હતી. જોકે રાજ્ય સરકાર અને કલેક્ટર ઑફિસે આકરૂં વલણ અપનાવતાં શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. જેને પગલે આશ્રમે કેમ્પસ ખાલી કરવું પડશે.
DPSએ આશ્રમ સાથે 5 વર્ષ માટે કરાર કર્યો હતો
DPSએ આશ્રમ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો છે. ત્યારે DPSનાં પૂર્વ આચાર્ય હિતેશ પુરીએ નિવેદન આપ્યું હતું કે DPSએ જૂન મહિનાથી 5 વર્ષ માટે જમીન ભાડા પેટે આપી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, અમારે આશ્રમ સાથે કોઈ સંબંધ નથી. તેમજ CBSEના કોઈ નિયમનો ભંગ કર્યો નથી.
DPSએ CBSEની મંજૂરી લીધી છે કે નહી તે એક સવાલ
અન્ય ઉપયોગ માટે સ્કૂલે લેવાની હોય તો CBSEની મંજૂરી લેવી પડે છે. ત્યારે સ્કૂલે CBSEની મંજૂરી નહી લીધી હોવાનું સામે આવ્યું છે. સ્કુલની જગ્યા આશ્રમને કેમ આપી તે મોટો સવાલ છે. તેમજ આ ઘટનાં બાદ CBSEનાં પ્રતિનિધીઓ સ્કુલે આવ્યાં. નોંધનીય છે કે CBSEનું અમદાવાદનું સેન્ટર અજમેરમાં છે.