વડોદરામાં બેંક સાથે છેતરપિંડીના મામલે ભટનાગર બંધુઓને જામીન મળી ગયા છે. હાઇકોર્ટે ભટનાગર બંધુઓને 3 મહિનાના જામીન આપ્યા છે. કરોડો રૂપિયાની ઘણી બેંક પાસેથી લૉનના કૌભાંડ આચર્યાનો કેસ છે. કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. મહત્વનું છે કે, ભટનાગર બંધુઓએ બેંક સાથે છેતરપિંડી કરી હતી.
દીકરીના અભ્યાસ માટે વિદેશ જવા માટે માગ્યા હતા જામીન
આજ મહિને આરોપી સુમિત ભટનાગરને હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સુમિત ભટનાગરના 15 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ આરોપી સુમિત ભટનાગરે દીકરીના અભ્યાસને લઈને વિદેશ જવા માટે જામીન માગ્યા હતા. ત્યારે હાઇકોર્ટ દ્વારા વધુ એક રાહત મળી છે. ભટનાગર બંધીઓને 3 મહિનાના જામીન આપવામાં આવ્યતા છે. મહત્વનું છે કે, બેંકો પાસેથી કરોડોની લોન લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. આથી, છેતરપિંડીના કેસમાં પિતા અને 2 પુત્રો સામે કેસ ચાલી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ડાયમંડ ગ્રુપના ભટનાગર બંધુઓએ બેંક પાસેથી લોન લઈને 2654 કરોડનુ કૌભાંડ આચર્યુ હતું. પોલીસે ભટનાગર બંધુઓની ધરપકડ પણ કરી હતી. બેંક ઓફ બરોડા દ્વારા સુરેશ ભટનાગરને વિલફુલ ડીફોલ્ટર જાહેર કરવામાં આવ્યો હતો. લોન ભરપાઈ ન કરતા બેંક ઓફ બરોડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
બાદમાં બેંકોનું કરોડોનું કૌભાંડ આચરનાર અમિત અને સુમિત ભટનાગરને દેના બેંકે વિલફુલ ડિફોલ્ટર જાહેર કરી દીધા હતા. ભટનાગર બંધુઓએ દેના બેન્ક પાસેથી રૂ.120 કરોડની લોન લીધી હતી. જે ચૂકવણી કરી નથી. ભટનાગર બંધુઓએ વિવિધ બેન્કોમાંથી અંદાજે રૂ.2654 કરોડની લોન લઇ કૌભાંડ આચર્યું છે.