બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / મોબાઈલમાં ડાઉનલોડ કરી લો આ એક એપ, ક્યારેય લીક નહીં થાય તમારા પર્સનલ ડેટા
Last Updated: 07:28 PM, 17 January 2025
ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક વર્ષ પહેલા સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું હતું અને હવે તેણે સંચાર સાથી એપ લોન્ચ કરી છે. વિભાગનું કહેવું છે કે હવે ગ્રાહકો છેતરપિંડીથી લઈને મોબાઈલ શોધવા સુધીના તમામ કામ પોતાના ફોનથી કરી શકશે.
ADVERTISEMENT
તમે દિવસભર આવતા અહી તહીના ફોન અને ઠગાઇના ડરથી પરેશાન છો, તો સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. તમારે ફક્ત તમારા મોબાઇલ પર ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લોન્ચ કરાયેલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ તમારા મોબાઇલ માટે એક અભેદ્ય કિલ્લાની જેમ કામ કરશે. આ એપ તમારા મોબાઈલમાં હોવાથી કોઈ છેતરપિંડી કરનાર તમને છેતરવાની હિંમત પણ નહીં કરે.
ADVERTISEMENT
શુક્રવારે ટેલિકોમ્યુનિકેશન વિભાગે 'સંચાર સાથી' મોબાઇલ એપ રજૂ કરી. આનાથી લોકો માટે કોઈપણ શંકાસ્પદ છેતરપિંડીની માહિતી સીધી તેમના મોબાઇલ ફોન 'કોલ લોગ'માંથી જાણ કરવાનું સરળ બનશે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ્યુનિકેશન વિભાગની બે અન્ય પહેલ રાષ્ટ્રીય બ્રોડબેન્ડ મિશન 2.0 માટેનું વિઝન અને 'ડિજિટલ ભારત નિધિ' દ્વારા વિત્તપોષિત 4જી મોબાઇલ સાઇટ પર ઇંટ્રા સર્કિલ રોમિંગની શરૂઆત કરી છે.
આ એપ કેવી રીતે કામ કરશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગનું 2023માં લોન્ચ કરાયેલું 'સંચાર સાથી' પ્લેટફોર્મ છેતરપિંડીભર્યા ફોન કોલ્સ સામે કાર્યવાહીમાં એક અસરકારક તંત્ર સાબિત થયું છે. તેની નવી એપ્લિકેશન ગ્રાહકો માટે સલામત વાતાવરણ સુનિશ્ચિત કરીને આ પ્રયાસોને બમણી કરશે. એપ લોન્ચ કરતી વખતે સિંધિયાએ કહ્યું કે 'સંચાર સાથી' પહેલ એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે જ્યાં દરેક ગ્રાહકની ગોપનીયતા અને સુરક્ષા સુરક્ષિત રહે છે.
ખોવાયેલો ફોન પણ મળશે
તમારો મોબાઈલ ખોવાઈ જાય તો પણ તમે તેને સંચાર સાથી એપ દ્વારા શોધી શકો છો. આ માટે તમારે સંચાર સાથી પોર્ટલ પર જવું પડશે અને મોબાઇલ નંબર પર મળેલા OTPનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરવું પડશે. આ પછી તમે તમારા મોબાઇલ કનેક્શન જેમ કે વોડાઆઈડિયા, એરટેલ વગેરે પર જાઓ. આ પછી કનેક્શન સામે જઇ અને વિકલ્પો તપાસો અને ટૂંક સમયમાં તમારા મોબાઇલનું સ્થાન એપ્લિકેશન અથવા સાઇટ પર દેખાશે.
આ પણ વાંચોઃ શું તમારા ફોનમાં કેન્ડી ક્રશ સાગા અને ટીન્ડર એપ છે? તો થઈ જજો સાવધાન, રિપોર્ટમાં ડરામણો ખુલાસો
વેબસાઇટ પછી સુવિધા એપ પર મળશે
સરકારે અગાઉ સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલનો કરોડો લોકોને ફાયદો મળ્યો છે. હવે આ બધી સુવિધાઓ સંચાર સાથી એપ પર પણ મળશે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે હવે મોબાઈલ એપ દ્વારા ફરિયાદો કરી શકાય છે. આ માટે તમારે પોર્ટલ પર જવાની જરૂર નથી, પરંતુ એપ દ્વારા જ તમે તમારો મોબાઈલ શોધી શકો છો અને છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.