દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ છે તો પંજાબમાં 81 ટકા બ્રિટનનો સ્ટ્રેન આવતા ચિંતા વધી છે.
કોરોના વાયરસે વધારી ચિંતા
પંજાબમાં યૂકેના સ્ટ્રેનથી ખળભળાટ
202.3 દિવસમાં ડબલ થઈ રહ્યા છે કેસ
કોરોના વાયરસની બીજી લહેરે દેશને ચિંતામાં મુક્યો છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્લી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં કેસ વધ્યા છે. પંજાબમાં જીનોમ સિક્વેન્સ માટે મોકલેલા 401 સેમ્પલમાંથી 81 ટકા બ્રિટેનનો સ્ટ્રેન હોવાનું સામે આવ્યું છે.
દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ
કોરોનાના વધતા કેસ પાછળ લોકોની બેદરકારી પણ જવાબદાર છે. હોળીનો તહેવાર નજીક હોવાથી લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા એક દિવસમાં 40 હજાર 715 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુમાં દેશના 80.90 ટકા કેસ નોંધાયા છે. જ્યારે 60.53 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
पंजाब में पिछले 24 घंटों में #COVID19 के 2,274 नए मामले सामने आए हैं। 1,426 लोग डिस्चार्ज हुए। इस दौरान 53 लगों की मृत्यु दर्ज़ की गई।
પંજાબમાં 81 ટકા કેસમાં યૂકેનો વેરિઅન્ટ મળ્યો
પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેક્સીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 28,699 नए मामले सामने आए हैं। 13,165 लोग डिस्चार्ज हुए और 132 मृत्यु दर्ज़ की गई।
ભારતમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ, દૈનિક કેસમાં ફરી વધારો
એક દિવસમાં દેશમાં કોરોનાના 47 હજાર 239 નવા કેસ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 23 હજાર 913 દર્દી રિકવર થયા છે તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 277 લોકોના મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 65 હજાર 369 થયા છે અને કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 33 હજાર 594 પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 3 હજાર 16 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 477 થયો છે. લાંબા સમય બાદ એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો હોવાનું જોવા મળ્યું છે.
વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે
એક દિવસમાં વિશ્વમાં કોરોનાના 4 લાખ 85 હજાર 732 નવા કેસ આવ્યા છે. એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી 10 હજાર 206ના મૃત્યુ થયા છે. કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 12 લાખ 24 હજાર 433 પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 12 કરોડ 47 લાખ 89 હજાર 547 થયા છે. કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 10 કરોડ 81 લાખ 97 હજાર 31 પહોંચી છે. તો વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27 લાખ 45 હજાર 383નો થયો છે.