કોરોનાના ડબલ અને ત્રિપલ સ્વરુપ લગભગ એક જેવા જ છે હાલની રસી તેમની વિરુદ્ધ અસરકારક છે.
ડબલ અને ત્રિપલ સ્વરુપ લગભગ એક જેવા
રસી તેમની વિરુદ્ધ અસરકારક
બ્રાઝિલ બાદ ભારત એક માત્ર દેશ છે જ્યાં આટલા મોત થયા
રસી તેમની વિરુદ્ધ અસરકારક
ભારતમાં સામે આવેલા કોરોનાના ડબલ અને ત્રિપલ સ્વરુપ લગભગ એક જેવા જ છે અને હાલની રસી તેમની વિરુદ્ધ અસરકારક છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સના ડાયરેક્ટર સૌમિત્ર દાસે શુક્રવારે જાણકારી આપી હતી. સાર્સ-સીઓવી-19ના જીનોમ અનુક્રમણ પર એક વેબિનારમાં બોલતા દાસે કહ્યુ કે ડબલ અને ત્રિપલ સ્વરુપ બોલચાલ માટે છે અને બન્નેના સંદર્ભમાં કોરોના સમાન સ્વરુપ બી.1.617 માટે ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે.
ડબલ અને ત્રિપલ સ્વરુપ લગભગ એક જેવા
તેમણે કહ્યુ કે ડબલ અને ત્રિપલ સ્વરુપ એક જ છે. ડબલ અને ત્રિપલ સ્વરુપ અતિવ્યાપક શબ્દ છે. અલગ અલગ સંદર્ભમાં તેને અલગ રીતે ઉપયોગ કરાયોછે. કલ્યાણી સ્થિત ધ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સ જૈવ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આવનારા સંસ્થાન છે અને દેશની એ 10 પ્રયોગશાળાઓમાંથી એક છે જે કોરોના વાયરસના જીનોમ રિસર્ચમાં સામેલ છે.
બ્રાઝિલ બાદ ભારત એક માત્ર દેશ છે જ્યાં આટલા મોત થયા
વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર શુક્રવારે રાતે 12 વાગે 24 કલાકમાં ભારતમાં 345, 147 નવા કેસ આવ્યા છે. ત્યારે આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2621 કોરોનાના દર્દીના મોત થયા છે. સતત 8 દિવસોથી કોરોનાના દર્દીના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. દેશમાં મરનારાની કુલ સંખ્યા વધીને 1, 89, 549 થઈ ગઈ છે. બ્રાઝિલ બાદ ભારત એક માત્ર દેશ છે જ્યાં આટલા મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,02,456 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસના દર્દીઓની સંખ્યા 25,43,914 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 15.3 ટકા છે.
દેશમા 1,38,62,119 લોકો સાજા થયા
આ પહેલા ગુરુવારે રાત સુધીમાં કોરોનાથી 3.32 લાખ નવા કેસ આવ્યા હતા. જેથી દેશમાં એક્ટિવ કેસની રેકોર્ડ બ્રેક આંકડા સામે આવ્યા હતા. એક દિવસમાં 1 લાખ 42 હજાર 80 એક્ટિવ કેસ વધ્યા હતા. દેશમા 1,38,62,119 લોકો સાજા થયા છે.