કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરવાની કવાયત હાથ ધરાઇ છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અંદાજે પ૦ ટકા જેટલા વાહનચાલકોએ ફાસ્ટેગ ખરીદી લીધું છે, પરંતુ નવી શરૂ થયેલી આ સિસ્ટમમાં રહેલી અનેક ખામીઓના કારણે વાહનચાલકો આજે પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
ફાસ્ટેગ ધરાવનાર લોકો ખાસ ધ્યાન રાખે
ટોલ પ્લાઝા પર બીજા વાહનથી તમારું વાહન રાખો 4 મીટર દૂર
કપાઇ જશે ડબલ રૂપિયા
નવી મુસીબત એ છે કે કેટલાંક ટોલનાકા પર વાહનધારકોના પૈસા બે વખત કપાતા હોવાની ફરિયાદો ઊઠી છે ત્યારે ટોલ પ્લાઝાના અધિકારીઓ પણ આ મુદ્દે અનેક તર્ક આપી રહ્યા છે.
૪ મીટર દૂર નહીં હોય તો ડબલ પૈસા કપાશે
નવું સોલ્યુશન નહિ પણ નવો તર્ક એ છે કે એક વાહન પાછળ બીજું વાહન ચાર મીટર દૂર રાખવામાં આવે તો આ સમસ્યા ઉકેલી શકાય છે એટલે ફરિજયાતપણે વાહનચાલક પોતાનું વાહન આગળના વાહનથી ૪ મીટર દૂર રાખે તો ફાસ્ટેગના ડબલ પૈસા નહીં કપાય. કેટલાક ટોલ પર સ્કેનર ફાસ્ટેગ રીડ કરતું નથી તેવી ફરિયાદો ઊઠી રહી છે.
હેલ્પ લાઇન નંબર પર
ફાસ્ટેગ માટે કોઇ પણ સમસ્યા હોય અથવા સ્કેન ન થતો હોય અથવા બ્લેકલિસ્ટ બતાવતો હોય તો જે તે કંપનીના ફાસ્ટેગ પર અાપેલા હેલ્પ લાઇન નંબર પર ફોન કરી સમસ્યા અંગે જાણ કરી શકાય છે.