વધતી મોંઘવારીને કારણે નોકરિયાત લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે રોજિંદા ખર્ચ પછી બચત થતી નથી. જેથી નિવૃત્તિ પછી બચત કરવી મુશ્કેલ છે. પણ આ કામ કરીને તમે ઈપીએફના પૈસા ડબલ કરી શકો છો. ચાલો જાણીએ.
EPFOના કર્મચારીઓ માટે સારાં સમાચાર
હવે પીએફના પૈસા કરી શકો છો ડબલ
તમારી પાસે એપ્રિલ સુધીનો છે સમય
જોકે, કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળની બચત આ વર્ગ માટે મોટી રાહત હોય છે. આ બચત એટલે શક્ય છે કારણ કે તે દર મહિને પગારમાંથી આપમેળે કપાઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે પ્રોવિડન્ટ ફંડની આ બચત પણ ડબલ કરી શકો છો? પ્રોવિડન્ટ ફંડ્સ દ્વારા થતી બચતને ડબલ કરવાના બે ફાયદા છે. પ્રથમ તે તમારા રિટાયરમેન્ટ ફંડમાં વધારો કરે છે. સાથે જ તમે જેટલી રકમ જમા કરો છો, તેના પર તમને એટલો વધુ વ્યાજ મળશે. ઇપીએફઓના નિયમો હેઠળ આના હેઠળ આવતીકંપનીઓ તેમના કર્મચારીઓને પીએફમાં પોતાનું યોગદાન વધારવાની તક આપે છે. આ માટે, તમારે તમારા સેલરી સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર કરવો પડશે.
એપ્રિલમાં નિર્ણય લેવાની તક
એપ્રિલ મહિનામાં નાણાકીય વર્ષની શરૂઆત સાથે, તે નોકરી કરતાં લોકો માટે પણ ખાસ છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ આ મહિનામાં તેમના તમામ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે. કર્મચારીઓને તે જ મહિનામાં અપ્રેઝલ મળે છે. તેવામાં આ મહિનામાં, તમારી પાસે EPF માં તમારું યોગદાન બમણું કરવાની તક છે. તમે તમારી કંપની / એમ્પ્લોયરને EPF ખાતામાં પીએફ ફાળો વધારવા માટે કહી શકો છો. જો કે, આનાથી તમને દર મહિને મળતા પગારમાં ઘટાડો થશે. પરંતુ, દર મહિનાની આ નાની કપાત તમારી નિવૃત્તિ પછીના જીવન માટે રાહત આપી શકે છે.
તમને કેવી રીતે લાભ મળશે?
જો તમારા એમ્પ્લોયર ઇપીએફમાં કોન્ટ્રીબ્યુશન વધારે છે, તો પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં વધુ પૈસા જમા થશે. તેનાથી રિટાયરમેન્ટ ફંડમાં વધારો થશે. હાલમાં, પ્રોવિડન્ટ ફંડને 8.55 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો ફાળો વધશે તો કમાયેલ વ્યાજ પણ વધશે. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુનું યોગદાન ન હોવું જોઈએ. સરકારે કહ્યું છે કે બજેટમાં નવી જોગવાઈઓ હેઠળ 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર મળેલા વ્યાજ પર ટેક્સ ભરવો પડશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનનો નિયમો
ઇપીએફઓના નિયમો અનુસાર, દરેક કર્મચારીને છૂટ મળે છે કે તે તેની કંપનીને પીએફ ફાળો વધારવા માટે કહી શકે છે. નિયમો હેઠળ, કોઈપણ નોકરીના વ્યવસાયના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા, કર્મચારીના હિસ્સામાં જમા થાય છે. સમાન યોગદાન પણ કંપની દ્વારા કરવામાં આવે છે. નિયમો હેઠળ, જો કર્મચારી ઈચ્છે તો, તે દર મહિને તેના ફાળો મૂળભૂત પગારના 100% સુધી વધારી શકે છે.
પીએફના પૈસા કેવી રીતે ડબલ થશે?
જો કોઈ વ્યક્તિ પોતાનું યોગદાન બમણું કરે છે, તો તેનો પીએફ ફંડ પણ બમણો થઈ જશે. જો કોઈ વ્યક્તિ નિયમ મુજબ ફક્ત 12 કોન્ટ્રીબ્યુશન આપે છે, તો તે વધીને 24 ટકા થઈ જશે. આ રકમ પર વ્યાજ પણ વધશે. કર્મચારી ભવિષ્ય નિધિ પર મળેલા વ્યાજ પર કમ્પાઉન્ડિંગનો લાભ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, દર મહિને કોન્ટ્રીબ્યુશન આપવા પર વધુ વ્યાજ પણ મળશે. તમને દર વર્ષે વ્યાજ પરના લાભનો લાભ પણ મળશે. આ રીતે, તમે નિવૃત્તિ સમયે મોટી રકમ જમા કરી શકશો.