હોળી બાદ એકાએક રોકેટ ગતિએ કોરોનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 51 નવા કેસ નોંધાવવા પામ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાવવા પામ્યા છે.
ગુજરાતમાં ફરી કોરોનાં કેસમાં વધારો
૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૫૧ નવા કેસ
આજે ૨૧ દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવા કેસ ૧૮૧
અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થતો જોઈને આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે. રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા. જેની જગ્યાએ હવે 51થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે. શનિવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. ત્યારે મહાનગર સહિત અનેક જીલ્લાઓમાં કેસોમાં વધારો થવા પામ્યો છે. શનિવાર સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા
હોળી ધૂળેટીના તહેવાર બાદ એકાએક કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ શનિવાર સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરાનાથી કોઈ મોત થવા પામ્યું નથી. દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા લાગ્યા છે. પરંતુ હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
રાજ્યમાં 24 કલાકમાં 51 નવા કેસની સામે 501 લોકોનું રસીકરણ કરાયું
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 51 નવા કેસ નોંધાવવા પામ્યા છે. જેના સામે 21 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 181 એક્ટિવ કેસ છે. તેમજ 24 કલાકમાં 501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ અમદાવાદમાં 32 કેસ નોંધાયા
મહાનગરમાં કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4 જ્યારે ભાવનગરમાં 3 કેસ નોંધાવવા પામ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 2, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1. સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોનાં કેસ નોંધાવવા પામ્યો છે.