સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ડરથી દુનિયામાં એક વાર ફરી ચિંતા ઉભી કરી દીધી છે. ભારતમાં પણ આ અંગે સનસની મચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ અંગે એક હાઈ લેવલ મીટીંગ બોલાવી હતી. બીજી બાજુ દેશના તમામ રાજ્યોની સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. નવા વેરિયન્ટને લઈને દિલ્હી સરકારે નિષ્ણાતો પાસેથી સૂચનો માંગ્યા છે.
The Technical Advisory Group on SARS-CoV-2 Virus Evolution met today to review what is known about the #COVID19 variant B.1.1.529.
They advised WHO that it should be designated a Variant of Concern.
WHO has named it Omicron, in line with naming protocols https://t.co/bSbVas9ydspic.twitter.com/Gev1zIt1Ek
WHOએ ઓમિક્રોન વાયરસને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂક્યું છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકા, બેલ્જિયમ , હોંગકોંગ, બોત્સવાના સહિત બીજા ઘણા દેશોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક છે. ઓમિક્રોનમાં 30થી વધારે મ્યુટેશન મળી આવ્યાં છે. જ્યારે ડેલ્ટામાં વેરિયન્ટમાં લગભગવ 15 મ્યુટેશન મળ્યાં હતાં. આ માટે ડેલ્ટાથી વધુ સંક્રમિત છે. WHOએ તેને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂક્યું છે. નિષ્ણાતોએ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. અને કહ્યું છે કે,વેક્સિનની ઈમ્યુનિટી પર નિર્ભર ન રહે. આશંકા છે કે, નવો વેરિયન્ટ વેક્સિનથી મળેલી રોગ પ્રતિકારક શક્તિ પર હાવી થઈ શકે છે. જો કે, સારી વાત એ છે કે, કોરોનાના નવા વેરિયન્ટને આરટીપીસીઆર દ્વારા જાણી શકાય છે.
મુસાફરોની અવરજવર બંધ
ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચેતવણી આપાવમાં આવી છે. જેને લઈને સરકારો, ડોકટરો, હેલ્થકેર વર્કર સહિત જવાબદાર વ્યક્તિઓ ભેગા મળીને આનાથી બચવાના રસ્તા શોધવા જોઈએ. ઉદાહરણ તરીકે, વેરિઅન્ટ અસરગ્રસ્ત દેશોમાંથી મુસાફરોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ.15મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પુનઃ વિચાર કરવો જોઈએ
ફરીથી પહેલા જેવી સાવચેતી રાખવાનું શરૂ કરો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોનાના કેસ ઓછા થયા હોવાથી દેશના લોકોએ લગ્ન, પ્રસંગ અને ,સાર્વજનિક જગ્યાઓ પર વગર માસ્ક ફરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હવે પહેલા જેવીજ સાવધાની અને તકેદારી રાખવી પડશે
બૂસ્ટર ડોઝ પર નિષ્ણાતોનો અભિપ્રાય
વેક્સિનના બંને ડોઝ લગાવ્યા બાદ બૂસ્ટર ડોઝની કેટલી આવશ્યકતા છે. ?આના જવાબમાં નિષ્ણાતોએ કહ્યું ડોકટર, ફ્રંટલાઈન વોરીયરઓએ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાઓમાં બંને ડોઝ લેવામાં આવ્યા છે અને શક્ય છે કે આઠ-નવ મહિનામાં તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હશે, આ માટે સૌથી પહેલા બૂસ્ટર ડોઝ તેમને આપવો જોઈએ
બૂસ્ટર ડોઝ માટે કઈ વેક્સિનનો ઉપયોગ કરવો જોઈએ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બૂસ્ટર ડોઝ માટે વેક્સિનના બદલાવ થવો જોઈએ. ઉદાહરણ તરીકે જે લોકોએ કોવિડ શીલ્ડનો પહેલો અને બીજો ડોઝ લીધો છે. તેમને કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે. વેક્સિનનો પ્લેટફોર્મ બદલના આ પ્રયોગથી તેમની ઈમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થઈ જાય છે.