જૂનાગઢઃ શહેરમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા હતા. તો અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે સિવિલમાં વીજળીના હોવાથી સારવારમાં મુશ્કેલીઓનો વધારો થયો હતો.
અણધાર્યો અકસ્માત...બાદમાં બીજો અકસ્માત...
જુનાગઢ પાસે આવેલ વડાલ ચોકડી નજીક બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. આ બસ એક જૈન પરિવારની હતી. જે રાજકોટથી ઉના જઇ રહી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને બાહર કાઢવાની કામગીરી કરતા પોલીસની પી.સી.આર. ગાડી ઉપર બીજી ટ્રક ચડી જતા વધુ 3 ઇજાગ્રસ્ત 5 જેટલી 108 દ્વારા ઇજાગ્રસ્તો તથા મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 17 ઇજાગ્રસ્તોને જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં તથા 3ને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાઈટના હોવાથી સારવારમા ખુબ મોટી પરેશાની ઊભી થઈ હતી. મોબાઈલ તથા ટોર્ચના પ્રકાશથી સારવાર દરમિયાન કામ ચલાવવું પડ્યું હતું. મહત્વનું છે કે ધારાસભ્ય ભીખાભાઇ જોષી ઇજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા.
તો ઈમરજન્સી સ્થિતિ હોવા છતા પણ વીજળીના અભાવે સારવારમાં તકલીફ વધી હતી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે તો તેમાં વીજળીને લઈને કોઈ વૈકલ્પિક સુવિધા કેમ ઉભી ના કરાઈ. જો વીજળીકાપ હોય તો સિવિલ હોસ્પિટલને વીજળીકાપથી દૂર કેમ ના રાખવામાં આવી. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.