ઘેર ઘેર રસીકરણ કરવાનો કાર્યક્રમ કેન્દ્ર સરકારે હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ઘેર ઘેર રસીકરણ કાર્યક્રમ હાલ પૂરતો શક્ય નથી.
મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધારે કોરોના કેસો
ડોર ટુ ડોર રસીકરણની મહારાષ્ટ્રની વિનંતી ફગાવાઈ
ભવિષ્યમાં ડોર ટુ ડોર રસીકરણનો નિર્ણય લેવાશે
દેશમાં સૌથી વધારે કોરોના કેસો ધરાવતા મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને ઘેર ઘેર રસીકરણ કાર્યક્રમને મંજૂરી આપવાની વિનંતી કરી હતી.પરંતુ કેન્દ્ર સરકારે હાલ પૂરતો આ પ્લાન માંડી વાળ્યો છે.
આરોગ્ય મંત્રાલયે એવું જણાવ્યું કે ઘેર ઘેર રસીકરણ સંબંધિત કોઈ દરખાસ્ત અમને મળી નથી. લોજિસ્ટીક મુદ્દાને ટાંકતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રસી પુખ્ત વયના લોકો માટે છે જે વૈશ્વિક રસીકરણ પ્રોગ્રામથી ભિન્ન છે, આપણે રસીકરણનો દાયકાનો અનુભવ છે.
મંત્રાલયે જણાવ્યું કે આપણે હાલમાં ફક્ત પુખ્ત વયના લોકોના રસીકરણ પર ધ્યાન આપતા નથી પરંતુ રસીકરણ બાદ સંભવિત આડઅસરો પર નજર રાખી રહ્યાં છીએ. આને માટે રસી લીધેલા વ્યક્તિઓને 30 મિનિટ સુધી નજર હેઠળ રાખવા પડે છે. અત્યાર સુધી ડોર ટુ ડોર રસીકરણ સંબંધિત કોઈ અપડેટ મળ્યું નથી.
દેશના 8 રાજ્યો કોરોનાનું એપી સેન્ટર
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના 8 રાજ્યો કોરોના સંક્રમણનું એપી સેન્ટર છે અને ચિંતાનું કારણ છે. આ રાજ્યોમાં કોરોનાના કુલ 85 ટકા કેસ નોંધાયા છે.આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 56,211 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં હવે કોરોનાનો આંકડો 12,095,855 પર પહોંચી ગયો છે.હાલમાં, દેશમાં સક્રિય કેસની સંખ્યા 5,40,720 પર પહોંચી ગઈ છે. સોમવારે, દેશભરમાં સક્રિય કેસની સંખ્યામાં 18,912 નો વધારો થયો છે. સોમવારે કોરોનાને કારણે 271 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે, દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,62,114 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 11,393,021 લોકો કોરોનાને માર મારતા હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. આ પહેલા રવિવારે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.