દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ શાસક પક્ષ વચ્ચે ગરમાયુ રાજકારણ, ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાયો
ચૌધરી સમાજમાં રાજકારણ ચરમસીમાએ
સમોજા ગામમાં અશોક ચૌધરીની સાકરતુલા થઇ હતી
ગોકલગઢ ગામે વિપુલ ચૌધરીની સાકરતુલા કરાશે
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય થયો. વિપુલ ચૌધરી જૂથને મોટો ઝટકો લાગ્યો છે. ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર થઇ છે. પરંતુ તેમ છતાં પણ હાલના સાશકો અને પૂર્વ સાશકો વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. દૂધ સાગર ડેરી હવે સહકાર કરતા વધુ રાજકીય ચર્ચાનો વિષય બની હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.
ચૌધરી સમાજમાં જ બે ભાગ
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સાકરતુલા કરવામાં આવી હતી. સમોજા ગામમાં અશોક ચૌધરીની સાકરતુલા કરવામાં આવી હતી. ભલે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલમાં અશોધ ચૌધરીની જીત થઇ પરંતુ પૂર્વ શાસક પક્ષ અને હાલના શાસક પક્ષ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. અશોક ચૌધરીની સાકરતુલા થતા ગોકલગઢ ગામમાં વિપુલ ચૌધરીની સાકરતુલા કરવામાં આવશે. મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા શક્તિપ્રદર્શન માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
વિપુલ ચૌધરીએ કરી નવા સંગઠનની જાહેરાત
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અગાઉ એક વધુ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. અર્બુદા સેના બાદ હવે દૂધ સાગર સૈનિક નામના નવા સંગઠનની જાહેરાત કરાઇ હતી. દૂધ સાગર સૈનિક નામના સંગઠનમાં તમામ સમાજના લોકો જોડાઇ શકશે. હાલમાં ત્રણ તાલુકામાં લોકોને આ સંગઠન સાથે જોડવાનું શરૂ કરાયું ઠેય ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકામાં 5 હજાર 300 લોકો દૂધસાગર સૈનિક સંગઠન સાથે જોડાયા હતા. સહકારી માળખામાં થઈ રહેલા અન્યાય સામે લડવા માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી.