અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો એ બુધવારે કહ્યું કે અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ માટે વૉશિંગ્ટન ભારતની તેલની પર્યાપ્ત જરૂરિયાત પૂરી પડે રહે તેનું ધ્યાન રાખશે.
ભારતે અમેરિકા પાસેથી ખરીદ્યો છે તેલનો મોટો જથ્થો
સૂત્રો મુજબ દુનિયામાં તેલના ત્રીજા સૌથી મોટા આયાતી દેશ ભારતે અમેરિકા પાસેથી નવેમ્બર 2018થી લાઈને મે 2019ની વચ્ચે રોજનું લગભગ 1,84,000 બેરલ તેલ ખરીદ્યુ, જ્યારે ગયા વર્ષની આ જ સમયગાળા દરમ્યાનની સરખામણીએ આ આંકડો રોજનો લગભગ 40,000 બેરલ હતો.
આંકડા મુજબ આ જ સમયગાળા દરમ્યાન ભારતે તહેરાન પાસેથી 48 ટકા ઓછું તેલ ખરીદ્યુ અને જે લગભગ 2,75,000 બેરલ પ્રતિદિન રહ્યું. મે સુધી ભારત ઈરાની તેલનું બીજું સૌથી મોટું ખરીદદાર હતું.
વિવિધ મુદ્દે કરી ચર્ચા
માઈક પૉમ્પિયો ભારત પ્રવાસે છે અને આ દરમ્યાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમ્યાન જયશંકર તથા પૉમ્પિયોએ ઈરાનથી તેલ આયાત પર અમેરિકી પ્રતિબંધ અને ગલ્ફમાં વૉશિંગ્ટન તથા ઈરાન વચ્ચેના તણાવ વધવાના મુદ્દે ઉર્જા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
જયશંકરે કહ્યું કે ઈરાનને લઈને અમારા કેટલાંક નિશ્ચિત દ્રષ્ટિકોણ છે. વિદેશ મંત્રીએ ઈરાનને લઈને અમેરિકાની ચિંતા શૅર કરી. અમારા માટે એ ઘણું મહત્વનું છે કે વૈશ્વિક સ્તર પર ઉર્જા આપૂર્તિમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. મને લાગે છે કે અમારી આ ચિંતાથી વિદેશ મંત્રી પૉમ્પિયો સારી રીતે અવગત છે.
પ્રધાનમંત્રી મોદીને ગણાવ્યા નીડર નેતા
US Secretary of State Mike Pompeo in Delhi: Right now, we have two leaders in President Trump and PM Modi, who are not afraid to take risks where its appropriate. Let's see each other with new eyes and embrace the age of ambition. pic.twitter.com/DWF14ppbEH
આ પહેલાં અમેરિકી વિદેશી મંત્રી માઈક પૉમ્પિયોએ પીએમ મોદીના પણ જોરદાર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં માત્ર બે જ એવા નેતા છે જે જરૂર પડે ત્યારે રિસ્ક લેવાથી ડરતાં નથી. તેમણે કહ્યું કે આપણે બંને દેશો એકબીજાને નવી દ્રષ્ટિથી જોવું જોઈએ. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે આજે દુનિયાનો 60 ટકા દરિયાઈ વેપાર ઈન્ડો-પેસેફિક થઈને ગુજરે છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાને જાપાન, નૉર્વ, સાઉદી અરબ અને યુએઈથી આવનારા તેલના ટૅન્કરોને નિશાન બનાવ્યાં છે.
આતંકવાદ મુદ્દે PM મોદીને સમર્થન
પૉમ્પિયોએ કહ્યું કે કેટલાંક સપ્તાહ પહેલાં જ પીએમ મોદીએ તમામ દેશોને આતંકવાદ સામે લડવા માટે આહ્વાન કર્યુ હતું. અમને આ જોઈને ખુશી થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિએ મસૂદ અઝહરને છેલ્લાં સપ્તાહે વૈશ્વિક આતંકી ઘોષિત કર્યો.