16 એપ્રિલના રોજ હનુમાનજીની જન્મતિથી છે. આવામાં આ દિવસ માટે જયંતી શબ્દનો પ્રયોગ કરવો ન જોઈએ. જાણો આ પાછળનું શું કારણ છે અને જયંતીની જગ્યાએ ક્યા શબ્દનો પ્રયોગ કરવો
16 એપ્રિલનાં રોજ છે હનુમાન જન્મોત્સવ
જયંતી શબ્દનો ન કરવો જોઈએ ઉપયોગ
જયંતી શબ્દનો ઉપયોગ આ દુનિયામાં ન હોય તેવી વ્યક્તિ માટે થાય છે
16 એપ્રિલનાં રોજ છે હનુમાન જન્મોત્સવ
હનુમાન ભક્તોને હનુમાનજીનાં જન્મોત્સવની ઉત્સુકતા છે. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટમોચન હનુમાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 16 એપ્રિલ 2022 એટલે કે શનિવારનાં રોજ આવી રહી છે. આ દિવસે દેશભરનાં મંદિરોમાં ધામધૂમથી હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. બજરંગબલીનાં ભક્તો આ દિવસે વ્રત પણ રાખશે, તેમની પૂજા કરશે. હિંદુ ધર્મમાં ભગવાન હનુમાનનો જન્મનાં આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જયંતી નહી જન્મોત્સવ કહો
ઘણા લોકો હનુમાનજીની જન્મતિથીનાં આ પર્વને હનુમાન જયંતી કહી રહ્યા છે, જ્યારે આમ કહેવું યોગ્ય નથી. ભગવાન હનુમાનના જન્મતિથીનાં દિવસને જન્મોત્સવ કહેવું જોઈએ. સાથે જ જયંતી અને જન્મોત્સવ વચ્ચેના ફરકને સમજવો જોઈએ. જયંતી શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરવામાં આવે છે, જે આ સંસારમાં હવે નથી.
જ્યારે ભગવાન હનુમાનની જન્મતિથીને લઈને વાત કરીએ, તો આ માએ જન્મોત્સવ શબ્દનો જ ઉપયોગ થવો જોઈએ કેમકે કળયુગમાં માત્ર શ્રી રામ ભક્ત હનુમાનજી જ ચિરંજીવી છે. તેઓ અમર છે.
જન્મોત્સવ કહેવા માટે લોકોને કરો પ્રેરિત
જયંતી અને જન્મોત્સવ શબ્દો વચ્ચેના આ મોટા અંતરને જોતા ભગવાન હનુમાનનાં જન્મનાં પર્વ માટે જન્મોત્સવ શબ્દનો જ ઉપયોગ કરવો જોઈએ અને સાથે જ અન્ય લોકોને પણ આ શબ્દનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.