ઝારખંડના મુખ્યમંત્રી હમણા એક વિવાદવાળા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે નિવેદન આપતા કહ્યુ હતુ કે, બેન્કોનો વિશ્વાસ નહીં, પૈસા જમીનમાં દાટીને રાખો’. આ નિવેદન સામે હાલ તો ભાજપે મોરચો ખોલ્યો છે.
ઝારખંડના રામગઢ જિલ્લામાં એક રેલીનું આયોજન
બેંકોમાં પૈસા જમા ન કરવાની સલાહ આપી
મુખ્યમંત્રીના આ પ્રકારના નિવેદનની ટીકા
રામગઢ જિલ્લામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતુ. આ રેલીને સંબોધતા સોરેને કહ્યુ હતુ કે, બેંકોમાં પૈસા જમા ન કરવાની સલાહ આપી હતી અને આ સલાહ આ જ નિવેદનના કારણે ભાજપ પાર્ટીએ તેમના વિરોધ મોરચો માંડી દિધો છે. આ ઉપરાંત ઝારખંડની ગોડ્ડા લોકસભા સીટના સાંસદે ડૉ. નિશિકાંત દુબેએ પણ મુખ્યમંત્રીના આ પ્રકારના નિવેદનની ટીકા કરી હતી.
मुख्यमंत्री @HemantSorenJMM जी ने बैंक के पैसे के बारे में एक तालिबानी,मूर्खतापूर्ण बयान दिया है । पूरे दुनिया में मोदी @narendramodi जी के नेतृत्व में देश सम्मान पा रहा है,पैसा सुरक्षित भी है और विकास के लिए लग रहा है । झारखंड के मुख्यमंत्री का झूठ व हक़ीक़त pic.twitter.com/onikVwVmM6
હેમંત સોરેન લોકોને આ પ્રકારના ખોટા પગલા ભરવાનું જણાવી રહ્યા છે
ઝારખંડની ગોડ્ડા લોકસભા સીટના સાંસદે ડૉ. નિશિકાંત દુબેએ આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, વિશ્વભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને સન્માન સારૂ મળી રહ્યુ છે. તેમજ બેંકોમાં પૈસા સુરક્ષિત છે અને તેનો ઉપયોગ વિકાસના જ કામમાં કરવામાં થઈ રહ્યો છે. આ ઉપરાંત સાંસદે હેમંત સોરેનના તમામ આરોપના જવાબ આપ્યા હતા અને કહ્યુ હતુ કે હેમંત સોરેનનો ડર દર્શાવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વધતી લોકપ્રિયતા જોતા હેમંત સોરેન લોકોને આ પ્રકારના ખોટા પગલા ભરવાનું જણાવી રહ્યા છે.
आज रामगढ़ में जनता के बीच।
विपक्ष भ्रम में है कि पैसा बांट कर यह वोट खरीद लेंगे। रामगढ़ की जनता अधिकार के लिए लड़ती है। अधिकार देने वाली सरकार के साथ रहती है। आगामी रामगढ़ उपचुनाव में मां की ममता को न्याय मिलेगा। आदिवासी-मूलवासी की सरकार को और मजबूती मिलेगी। #रामगढ़_उपचुनावpic.twitter.com/EjU7TVrKKh
ગોડ્ડા લોકસભા સીટના સાંસદે ડૉ. નિશિકાંત દુબેએ જણાવ્યુ કે,
આ ઉપરાંત ગોડ્ડા લોકસભા સીટના સાંસદે ડૉ. નિશિકાંત દુબેએ વધુમાં જણાવ્યુ હતુ કે, આર્થિક વ્યવસ્થામાં ગરીબ, પછાત અને આદિવાસીઓને મોદી સરકારે સામેલ કર્યા છે. તેમણે આવા લોકોના બેંકોમાં ખાતા ખોલાવ્યા છે અને શાહુકારોથી મુક્ત કર્યા છે. આ ઉપરાંત મુદ્રા લોનની વાત કરતા કહ્યુ હતુ કે, ઝારખંડમાં ૯૭ લાખથી વધુની મુદ્રા લોન છે. અને જનધન યોજનાના લાભાર્થીની વાત કરતા કહ્યુ હતુ કે ૧ કરોડ ૬૨ લાખથી પણ વધુ છે.