જો તમે વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો સાંજે 6 વાગ્યા બાદ ભૂલથી પણ ન કરતા આ ખાદ્યપદાર્થોનું સેવન નહીતર ઘટવાને બદલે વજન વધી જશે.
વજન ઘટાડવા માટે હેલ્ધી ખોરાક લેવો જરૂરી
સારી ઊંઘ વજન ઘટાડવામાં મદદરૂપ
સાંજે 6 વાગ્યા ન લો અમુક પ્રકારના ખોરાક
જો તમે પણ વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો અને આશા અનુસાર, પરિણામો નથી મળી રહ્યા, તો તમારે તમારી લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફારો કરવા પડશે, એથી તમે સરળતાથી વજન ઘટાડી શકશો. તો ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે સાંજે 6 વાગ્યા બાદ ક્યા ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.
1. રાત્રે ક્યારેય ન પીવો ચા કે કોફી
મોટાભાગના લોકો જરૂરીયાત કરતા વધારે ચા કે કોફી પીવે છે, પરંતુ જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી કેમકે કેફીનની સાથે સાથે તેમાં શુગરનું પણ ઈનટેક ખૂબ જ વધારે થાય છે. રાત્રે ચા કે કોફી લેવાની ભૂલ ક્યારેય ન કરશો, કેમકે આમ કરવાથી ઊંઘ આવતી નથી અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં ઊંઘ પૂરી કરવી ખૂબ જ જરૂરી છે.
2. ન લેવા જોઈએ ફળ
આ વાતમાં કોઈ શંકા નથી કે ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ સૂરજ આથમ્યા બાદ ફળોનું સેવન કરવાથી પાચન તંત્ર ખરાબ થઇ શકે છે. આ ઉપરાંત, બ્લડ શુગર પણ વધી શકે છે. એટલા માટે કોશિશ કરો કે સાંજે 6 વાગ્યા બાદ ફળોનું સેવન કરવાથી બચી શકાય.
3. અડધી રાત્રે ખાવાની આદત ટાળો
ઘણા લોકો સમય પર ખાઈ લે છે, પરંતુ જો સમય પર ઊંઘતા નથી, તો આ એક ખોટી આદત છે, કેમકે મોદી રાત સુધી જાગવાની આદતને કારણે ભૂખ લાગતી રહે છે. આવામાં અમુક લોકો કંઈક ખાઈ પણ લે છે અને એક્સ્ટ્રા કેલરી ફેટનાં રૂપમાં આપણા શરીરમાં જમા થતી રહે છે, જેથી વજન વધે છે.