પાકિસ્તાની ટીમ ગમે ત્યારે ગમે તે ટીમને હરાવી શકવા સક્ષમ છે તેવી ભારતીય સ્પિનર હરભજન સિંહની ભવિષ્યવાણી સાચી પડી છે.
ભારતીય સ્પિનર હરભજનની ભવિષ્યવાણી સાચી પડી હરભજન કહ્યું હતું કે પાકિસ્તાની ટીમે ગમે ત્યારે ગમે તેને હરાવી શકે છે
કહ્યું ભારતીય ટીમે પાક.ટીમને હળવાશથી ન લેવી જોઈએ
હરભજનની ચેતવણી એકદમ સાચી પડી છે. મેચના થોડા સમય પહેલા સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હળવાશથી ન લેવી જોઈએ. કારણ કે પાકિસ્તાન ટીમ ગમે તેની હરાવી શકવાની તાકાત ધરાવે છે.
29 વર્ષ બાદ પાકિસ્તાને વર્લ્ડ કપ મુકાબલમાં ભારતને10 વિકેટથી પરાજય આપ્યો
29 વર્ષ બાદ પાકિસ્તાને વર્લ્ડ કપ મુકાબલમાં ભારતને10 વિકેટથી પરાજય આપ્યો છે. ભારતીય સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમ અંગે ભવિષ્યવાણી થઈ શકે તેમ નથી કારણ કે તે કોઈ પણ ટીમને ગમે ત્યારે હરાવી શકે છે.
ભારતીય ટીમે પાક.ટીમને હળવાશથી ન લેવી જોઈએ
ભારત-પાકિસ્તાન મેચ પહેલા એક મોટું નિવેનદ આપતા સ્પિનર હરભજન સિંહે જણાવ્યું કે ભારતીય ટીમે પાક.ટીમને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે પાકિસ્તાની ટીમ ગમે ત્યારે ગમે તેને પણ હરાવી શકવા સક્ષમ છે. જોકે તેણે એ વાતનો સ્વીકાર કર્યો કે મહામુકાબલા માટે ભારતીય ટીમનો દાવો મજબૂત છે.
પાક.ટીમ કોઈને પણ હરાવી શકે છે
હરભજને સ્પોર્ટ્સવોર્મના વર્લ્ડ કપ શોમાં કહ્યું હતું. પાક.ટીમ કોઈને પણ હરાવી શકે છે. હું બંને ટીમોની તુલના નહીં કરું કારણ કે તે બંને અલગ રીતે રમે છે. મને નથી લાગતું કે આપણે અગાઉના રેકોર્ડ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે બંને ટીમો એકબીજા સામે વધુ ક્રિકેટ રમી નથી. આંકડા ત્યારે મહત્વના છે જ્યારે ટીમો એકબીજા સામે ઘણી ક્રિકેટ રમી છે અને એક ઘણી મેચો જીતી છે. કાગળ પર અમારી ટીમને જોતા કહી શકાય કે આપણે પાકિસ્તાનને સરળતાથી હરાવી દેવું જોઈએ, પરંતુ આ બધું મેદાન પર ઉતાર્યા પછી તમે કેવી રીતે રમો છો તેના પર આધાર રાખે છે.