કેન્દ્રની અગ્નિપથ યોજના પર બોલતા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે.
અગ્નિપથ યોજના પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન
પ્રધાનમંત્રી મોદીએ દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ
યુવાનોને અગ્નિપથ પર ચલાવીને અગ્નિપરીક્ષા ન લો
કેન્દ્રની અગ્નિપથ યોજના પર બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવું જણાવ્યું કે પીએમ મોદીએ દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારે યુવાનોની અગ્નિપથ પર ચલાવીને અગ્નિપરીક્ષા ન લેવી જોઈએ તેને બદલે તેમનો અવાજ સાંભળવો જોઈએ.
Listen to the voice of unemployed youths of the country: Rahul Gandhi to PM Modi on centre's 'Agnipath' scheme
આર્મી માટે સરકારે કોઈ આદર દર્શાવ્યો નથી-રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી નો રેન્ક, નો પેન્શન, નો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, ચાર વર્ષ બાદ પણ સુરક્ષિત ભવિષ્ય નહીં. આર્મી માટે સરકારે કોઈ આદર દર્શાવ્યો નથી. તેમણે કહ્યું કે સરકારે દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ.
न कोई रैंक, न कोई पेंशन
न 2 साल से कोई direct भर्ती
न 4 साल के बाद स्थिर भविष्य
न सरकार का सेना के प्रति सम्मान
देश के बेरोज़गार युवाओं की आवाज़ सुनिए, इन्हे 'अग्निपथ' पर चला कर इनके संयम की 'अग्निपरीक्षा' मत लीजिए, प्रधानमंत्री जी।
કેન્દ્રની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશમાં વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે જ્યારથી કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લોન્ચ કરી છે ત્યારથી દેશમાં તેની સામે વિરોધ પ્રદર્શન શરુ થયા છે. બિહાર અને યુપીમાં યુવાનો સરકારની આ યોજના સામે દેખાવ કરી રહ્યાં છે અને તેને રદ કરવાની માગ કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે જાહેર કરી છે અગ્નિપથ યોજના
કેન્દ્ર સરકારે બુધવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ ચાર વર્ષ માટે યુવાનોની સેનામાં ભરતી કરવામાં આવશે અને તે પછી તેમને 11 લાખની રકમ આપીને નિવૃત કરી દેવામાં આવશે.