ધનતેરસના દિવસે ખરીદી કરવાના પણ ઘણા નિયમો છે. એ દિવસે શુભ મુહૂર્ત પર ખરીદી કરવાથી જ એ ખરીદીનું ફળ મળે છે.
ધનતેરસના દિવસે ખરીદી કરવાના પણ ઘણા નિયમો છે
ધનતેરસ પર આ સમયે ન કરો ખરીદી
ધનતેરસ પર આ વસ્તુની કરવી જોઈએ ખરીદી
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે. જ્યોતિષમાં દિવાળીના તહેવાર પર ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે હજારો ઉપાયો જણાવવામાં આવ્યા છે. પણ મા લક્ષ્મીને ખુશ કરવા માટેનો સૌથી સારો દિવસ છે ધનતેરસનો. ધનતેરસના દિવસે ભગવાન ધન કુબેર, ધન્વંતરી અને માતા લક્ષ્મીની નિયમ પ્રમાણે પૂજા કરવી જોઈએ. સાથે જ એ દિવસે ખરીદી કરવાના પણ ઘણા નિયમો છે. શુભ મુહૂર્ત પર ખરીદી કરવાથી જ એ ખરીદીનું ફળ મળે છે.
ક્યારે છે ધનતેરસ ?
આ વર્ષે ધનતેરસનો તહેવાર 22 અને 23 ઓક્ટોબરે આવી રહ્યો છે. ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરની સાંજે જ કરવી જોઈએ પરંતુ ખરીદી બંને દિવસે કરી શકાય છે. ધનતેરસનો તહેવાર શનિવારના રોજ સાંજે 06:03 કલાકે શરૂ થશે અને 23 ઓક્ટોબર રવિવારે સાંજે 06:04 વાગ્યા સુધી રહેશે.
ધનતેરસ પર આ સમયે ન કરો ખરીદી
ધનતેરસ પર ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે પણ એ દિવસે રાહુકાળમાં ખરીદી કરવાથી બચવું જોઈએ. રાહુકાળ 23 ઓક્ટોબરે સાંજે 04:19 થી 05:44 સુધી રહેશે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ખરીદી માટે આ સારો સમય નથી. આ સમય દરમિયાન ખરીદી કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. જો કે આ સિવાય ધનતેરસના દિવસે સવારે 09.00 થી 10.30 વચ્ચે ખરીદી કરવાનું ટાળવું જોઈએ.
ધનતેરસ પર આ વસ્તુની કરવી જોઈએ ખરીદી
ધનતેરસના દિવસે લોકો સાવરણી, ધાણા, વાસણો, સોના-ચાંદી, વાહનો, મિલકત અને કપડાં ખરીદે છે. આ સિવાય ધનતેરસના દિવસે જરૂરિયાત મુજબ લોકો વસ્તુ ખરીદી શકો છો. જણાવી દઈએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે ધન વધારવાનું કામ કરે છે. એટલા માટે તમારે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ કરતાં સોનું-ચાંદી, પ્રોપર્ટી, ફ્લેટ કે કોઈ પોલિસી ખરીદવી જોઈએ.