અનેક લોકો કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ હાથમાં દર્દ થવાના કારણે તેને ઘસે છે અથવા તો દબાવતા રહે છે. પરંતુ આ કામ ન કરવું. આમ કરવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
કોરોના વેક્સિન લીધી છે તો રહો એલર્ટ
વેક્સિન લીધા બાદ ન કરશો આ ભૂલો
નહીં તો કરવો પડી શકે છે મુશ્કેલીઓનો સામનો
કોઈ પણ વેક્સિન હોય તો અહીં ઈન્જેક્શન લગાવવામાં આવી શકે છે અહીં દર્દ અને સોજાની સ્થિતિ પણ જોવા મળી શકે છે. અનેક વાર આ દર્દ લાંબા દિવસો સુધી રહી શકે છે. આ કેસમાં દરેકનો અનુભવ અલગ અલગ રહે છે પણ કોરોના વેક્સિન લીધા બાદ અનેક લોકોને બાવડામાં દર્દ અને સોજાની ફરિયાદ રહે છે.
જાણો શું કહે છે ડોક્ટર્સ
સામાન્ય રીતે કોઈ પણ ઈન્જેક્શન લીધા બાદ ડોક્ટર્સ પણ તે જગ્યાએ કોટન ઘસવાની ના પાડે છે. અહીં વેક્સિન બાદ ઈન્જેક્શન લગાવેલા ભાગને ઘસવાની સલાહ આપવામાં આવી નથી. દર્દ ઘટાડવા માટે બરફથી શેક કરી શકાય છે.
શા માટે આવે છે સોજો
જ્યારે ઈન્જેક્શન લગાવવામાં આવે છે ત્યાર પછી અનેક દિવસ સુધી તે જગ્યાએ દર્દ અને સોજો રહે છે તો તેનું કારણ છે કે શરીરને એવો ડોઝ અપાયો છે જે બોડીને માટે મુશ્કેલ છે. એવામાં બોડી ઈમ્યુન સેલ્સને મોકલીને તે જગ્યાને રિપેર કરવાની કોશિશ કરે છે. આ રીતે ઈમ્યૂન સેલ્સ સોજા જન્માવે છે જેથી ફરીથી જો તમારા શરીરમાં તે કીટાણુ એટેક કરે છે તો શરીર તેને રિએક્ટ કરે. તેને વેક્સિનની રિએક્ટોજેનેસિટી કહેવાય છે.
શા માટે ન ઘસવી જોઈએ વેક્સિન લીધેલી જગ્યા
વેક્સીન લીધેલી જગ્યાને ઘસવાથી શંકા જન્મે છે. શરીર જેવી રીતે રિએક્ટ કરી રહ્યું છે નેચરલ રીતે તેને રિએક્ટ કરવા દો. આ માટે વેક્સિન બાદ પેન કિલર લેવાની પણ મનાઈ હોય છે. આ સિવાય એવું ઓછું શક્ય બને છે કે ઈન્જેક્શનવાળી જગ્યા પર ઘસવાની કે મસાજ કરવાથી વેક્સિન બહાર આવે. પણ સુરક્ષા માટે આ ભાગને અડવાની મનાઈ કરવામાં આવે છે. વેક્સિન ખૂબ જ ધીરેથી લગાવવામાં આવે છે પણ શક્ય છે કે તેને જોરથી ઘસવાથી કે મસાજ કરવાથી સમસ્યા જન્મે.