પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દુનિયા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાથી ન ગભરાવવાનું જણાવ્યું
બાળકોમાં ઘણી એવી પ્રતિભા હોય છે જે વાલીઓના ધ્યાનમા આવતી નથી
પરીક્ષાને જીવન-મરણનો સવાલ ન બનાવો
પરીક્ષા પે ચર્યા કરતા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાથી ન ગભરાવવાનું જણાવ્યું. મોદીએ કહ્યું કે પરીક્ષાથી ડરતા નહીં, કંઈ આભ નથી તૂટી પડવાનું.
આજકાલના બાળકોનું આકલન પરીક્ષાના પરિણાણો સુધી મર્યાદિત બની ગયું છે. પરીક્ષામાં ગુણ મેળવવાની ઉપરાંત પણ બાળકોમાં ઘણી એવી પ્રતિભા હોય છે જે વાલીઓના ધ્યાનમા આવતી નથી. પરીક્ષા એક પ્રકારની લાંબી જિંદગી જીવવાની તક છે. સમસ્યા તો ત્યારે સર્જાય છે કે જ્યારે આપણે પરીક્ષાને જીવન-મરણનો સવાલ બનાવી દઈએ છીએ.
M Pallavi and Arpan Pandey ask PM @narendramodi how can we reduce fear?
પીએમ મોદીએ કહ્યું કે આપણે બાળકો પર દબાણ ન કરવું જોઈએ. જો બહારનું દબાણ ન હોય તો પરીક્ષાનું દબાણ કદી પણ રહેતું નથી. આત્મવિશ્વાસ વધશે. બાળકોએ ઘરમાં તણાવમુક્ત જીવન જીવવું જોઈએ.
મોદીએ વિદ્યાર્થીઓને અઘરા કામોની એક યાદી બનાવવાનું જણાવ્યું. મોદીએ કહ્યું કે ખાલી સમયને ખાલી ન સમજો.નવરાશનો સમય એક ખજાનો છે. એક અવર છે. તમારી દિનચર્યામાં ફુરસદને કોઈ સ્થાન ન હોવું જોઈએ અન્યથા જિંદગી નીરસ થઈ જશે.
મને નવરાશના સમયમાં હીંચકે ઝૂલવાનું પસંદ છે
મોદીએ જણાવ્યું કે જો તમને ખબર હોય કે તમારી પાસે આજના દિવસે ખાલી સમય હશે તો તમે તમારા પરિવારની મદદ કરી શકો અથવા તો તમે કંઈક એવું કરી શકો જે તમને પસંદ હોય. મને નવરાશના સમયમાં હીંચકે ઝૂલવાનું પસંદ છે. હું કામની વચ્ચે પણ હિંચકે ઝૂલવાનું પસંદ કરુ છું. તેનાથી મને ખુશી મળે છે. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષા જીવન બનાવવાની એક તક છે. તેને તે જ સ્વરુપમાં સ્વીકાર કરવો જોઈએ. આપણે આપણી જાતને કસોટીની એરણે ચડાવવાની તક શોધતા રહેવું જોઈએ જેથી કરીને આપણે કંઈક સારુ કરી શકીએ.