ધાર્મિક પૂજા-અર્ચનમાં તુલસીનું મહત્વ અનેરૂં છે. તુલસીની દરરોજ પૂજા કરવાથી ઘરમાં બરકત થાય છે. જો કે અઠવાડિયામાં રવિવારે અને મંગળવારે તુલસી પત્રો તોડવું અશુભ માનવામાં આવે છે.
પૂજા-અર્ચનમાં તુલસીનું મહત્વ અનેરૂં
રવિ અને મંગળવારે તુલસી પત્રો તોડવું અશુભ
વિષ્ણુજીની સૌથી પ્રિય છે તુલસી
ભારતિય સંસ્કૃતિ વિશ્વની અન્ય સંસ્કૃતિથી તેના વિશેષ લક્ષણો અને રીત-પરંપરાઓને લીધે અલગ તરી આવે છે. ભારતીયો હંમેશા કોઇ પણ કાર્ય કરવા પહેલા તેને કરવાની રીત, મૂહુર્ત, તિથિ, વાર, નક્ષત્ર, યોગ વગેરેને ધ્યાનમાં રાખે છે. આ તમામમાં 'વાર'એ સૌથી અગત્યનું અવયવ છે. સામાન્યરીતે અઠવાડિયાનાં 7 દિવસમાંથી રવિવાર અને મંગળવારને ક્રૂર અને શનિવારને અશુભ માનવામાં આવે છે. સ્થાપના અને વાસ્તુ જેવા કાર્યોમાં તો શનિવારને અતિ અશુભ માનવામાં આવે છે.
આપણી સંસ્કૃતિમાં તુલસીનું મહત્વ અનેરૂં
ભારતિય સંસ્કૃતિમાં કોઇપણ વૃક્ષ કે પાનનો પોતાના માટે ઉપયોગ કરવો કે તેના પાનને તોડવા જેવા કાર્યો માટે ચોક્ક્સ મૂહુર્ત જોઇ કરવામાં આવે છે. આદિકાળથી ચાલી આવતી આ પરંપરાને ધાર્મિક લોકો આજ સુધી માને છે. વૈદ્ય પણ દવાઓ બનાવવા માટે વનસ્પતિને મૂહુર્ત જોઇ કાપે છે. પણ રોજબરોજના જીવનમાં મૂહુર્તની જટિલતા બધા લોકો માટે સમજવું સુલભ રહેતું નથી તેથી લોતો વારનો ઉપયોગ કરે છે.
વિષ્ણુજીની પ્રિય તુલસી
મૂહુર્તપ્રધાન અવયવ એટલે કે તિથિ, વાર વગેરે વિષ્ણુજીનાં સ્વરૂપ માનવામાં આવે છે. રવિવારનો દિવસ પણ વિષ્ણુજી માટે સૌથી પ્રિય છે અને એટલે જ રવિવારના દિવસે વિષ્ણુની પ્રિય એવી તુલસીને ન તોડવાનો નિયમ બનાવાયો છે. એવું માનવામાં આવે છે કે તુલસીએ વિષ્ણુરૂપ એવા શાલિગ્રામ સાથે રવિવારના દિવસે જ લગ્ન કર્યાં હતાં અને આ જ દિવસે તે પોતાના પતિ માટે વ્રત પણ રાખે છે. ઘણાં લોકો તો મંગળવાર ક્રૂર દિવસ હોવાથી આ દિવસે પણ તુલસીને કાપતાં નથી.
મૂહુર્તથી વધુ લોકવ્યવહારને મહત્વ
લોકવ્યવહારને મૂહુર્તથી પણ વધુ મહત્વ મળેલ છે. લોકવ્યવહાર પ્રચલિત હોવાને લીધે તુલસી પાનને તોડવામાં મૂહુર્તથી વધુ લોક વ્યવહારને મહત્વ અપાયું છે. રવિવારે પણ તુલસી પત્ર ન તોડવાની ધારણા પણ બધી જગ્યા કે સમૂહોમાં પ્રચલિત નથી. જેમ કે બદ્રીનાથ અને જગન્નાથપુરીમાં ભગવાનનાં પૂજન અને શૃંગારમાં પ્રતિદિન તુલસીનો પ્રયોગ થાય છે. આપણાં શાસ્ત્રોમાં પણ લોકોના આધારે નિયમો પાળવાની વ્યવસ્થા બનાવાઇ છે અને શાસ્ત્રોથી વધુ લોકપ્રચલનને મહત્વ અપાયું છે.