આ વર્ષે રંગોનો આ તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. આ તહેવારની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો મસ્તીની સાથે રંગ અને ગુલાલથી આ તહેવારની ઉજવણી કરે છે.
કેમિકલવાળા રંગો આપણી ત્વચાને પહોંચાડે છે નુકસાન
હોળી રમ્યા પછી સ્કીન પર બળતરા થઈ રહી હોય તો ત્યાં દહી લગાવો
દહી તમને એલર્જીથી તો બચાવશે જ પરંતુ તે ત્વચાને પોષણ પણ આપશે
Holi 2023: થોડા દિવસોમાં હોળીનો તહેવાર આવવાનો છે. એવામાં દરેક લોકો આ તહેવારની તૈયારીઓમાં લાગેલા છે. આ વર્ષે રંગોનો આ તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. આ તહેવારની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો મસ્તીની સાથે રંગ અને ગુલાલથી આ તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ઘણી વખત કેમિકલવાળા રંગો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. એવામાં જો તમને પણ હોળીના રંગોથી એલર્જી થઈ હોય તો તમે આ ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો.
ઘી
જો હોળી બાદ અથવા હોળી રમતા સમયે સ્કીન પર કોઈ સમસ્યા અથવા બળતરા થવા લાગે તો તાત્કાલિક તે જગ્યાને સાફ કરી ત્યાં ગાયનું ઘી લગાવો અને હળવા હાથે માલિશ કરો. તમને થોડા જ સમયમાં ત્વચાની બળતરાથી રાહત મળશે.
દહીં
જો તમે પહેલાથી જ તમારી સ્કીનની એલર્જીથી બચાવવા માંગતા હોય તો તેના માટે દહી ઉપયોગી થઈ શકે છે. દહી તમને એલર્જીથી તો બચાવશે જ પરંતુ તે ત્વચાને પોષણ પણ આપશે. જો તમે ઈચ્છો તો દહીમાં ચણાનો લોટ અને દળેલી દાળનો પાવડર પણ વાપરી શકો છો. બીજી તરફ જો તમે હોળી રમ્યા પછી બળતરા થઈ રહી હોય તો ત્યાં દહી લગાવીને સૂકાવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો.
નાળિયેર તેલ
જો તમારી ત્વચા ખૂબ જ સેન્સેટિવ છે તો હોળી રમતા પહેલા તમારી ત્વચા પર નારિયેળનું તેલ લગાવો. તેની મદદથી કેમિકલયુક્ત રંગો તમારી ત્વચા પર ખરાબ અસર નહીં કરે. આ તેલ ત્વચા પર એક સ્તર બનાવશે, જે એલર્જીનું જોખમ ઘટાડશે.
ચણાનો લોટ
રંગોથી થતી એલર્જીથી બચવા માટે તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. હોળી રમ્યા પછી રંગો દૂર કરવા માટે ચણાનો લોટ પણ ઉપયોગી થઈ શકે છે. આ માટે સૌથી પહેલા પાણી અને ચણાના લોટને મિક્ષ કરો. હવે સ્કીનને પાણીથી ધોયા બાદ આ પેસ્ટ શરીર પર લગાવો. તેનાથી કલર સરળતાથી નીકળી જશે. જો તમારી સ્કીન શુષ્ક છે, તો તમે તેમાં નારિયેળ અથવા સરસવનું તેલ પણ ઉમેરી શકો છો.
એલોવેરાનો ઉપયોગ
જો તમે શાનદાર હોળી રમવાનું વિચારી રહ્યા છો તો હોળી રમતા પહેલા એલોવેરા જેલ ખરીદો અને તમારી પાસે રાખો. એલોવેરા દરેક પ્રકારની સ્કીન એલર્જીમાં અસરકારક સાબિત થાય છે. આ સ્થિતિમાં જો તમને હોળીના રંગોથી એલર્જી છે તો તમે એલોવેરા લગાવી શકો છો. તેમાં રહેલા એન્ટિ-એલર્જી એન્ટિ-બેક્ટેરિયલ ગુણ સ્કીનને સંક્રમણથી બચાવે છે.