વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોનું ખૂબ જ મહત્વ છે, પરંતુ ઘણા ફૂલો એવા પણ છે જે ભગવાનને ન ચઢાવવા જોઈએ. જાણો આ ફૂલો વિષે
વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોનું અત્યંત મહત્વ
દેવી દેવતાઓને પસંદ છે ફૂલો
પરંતુ અમુક પ્રકારના ફૂલો ચઢાવવાથી મળે છે અવળા ફળ
વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોનું અત્યંત મહત્વ
વાસ્તુ શાસ્ત્રમાં જીવન જીવવાની રીત ભાતથી લઈને પૂજા પાઠ કરવાની સાચી રીત સુધી બધી જ બાબતોની વવાત કરવામાં આવી છે. આપણે જયારે પણ મંદિર જઈએ કે કોઈપણ પ્રકારની પૂજા કરાવીએ, ફૂલ વિના તો બધું જ અધૂરું છે. ભગવાનને ફૂલ ચઢાવવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ ફૂલને લઈને પણ વાસ્તુ શાસ્ત્રમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. ક્યા ભગવાનને ક્યા પ્રકારના પુષ્પ ચઢાવવા અને ક્યા પ્રકારના પુષ્પ ચઢાવવાથી બચવું, આ બધી જ આપણને માહિતી વાસ્તુ શાસ્ત્રમાંથી મળે છે.
દેવી દેવતાઓને પસંદ છે ફૂલો
વાસ્તુ શાસ્ત્રમાં આપણે વાત કરીશું દેવી દેવતા અને ફૂલોની. દેવી કે દેવતા એક ખાસ પ્રકારના એનર્જી પેટર્ન છે અને ફૂલ સુગંધ અને રંગનું મિશ્ર સ્વરૂપ છે, જેનો સીધો સંબંધ ઘરના વાસ્તુ શાસ્ત્ર સાથે છે. આ જ સત્યને જાણીને ભારતીય જ્યોતિષીઓ અને વાસ્તુ શાસ્ત્રનાં જાણકારોએ તંત્ર સાર, મંત્ર મહોદધિ અને લઘુ હારિતમાં લખ્યું છે કે પીળા ફૂલ વિષ્ણુને પસંદ છે, લાલ ફૂલ સૂર્ય, ગણેશ અને ભૈરવને પ્રિય છે, ભગવાન શંકરને સફેદ પુષ્પ પસંદ છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કઈ એનર્જી પેટર્નને કયો કલર જરાય પસંદ નથી.
ક્યા પ્રકારના ફૂલ ન ચઢાવવા જોઈએ
તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને અક્ષત એટલે કે ચોખા, ધતુરામાં ફૂલ પસંદ નથી. માતાને દૂબ, મદાર, હરસિંગાર, બેલ ન ચઢાવવા જોઈએ. ચંપા અને કમળને છોડીને કોઈપણ પુષ્પની કળી માતાને ન ચઢાવવી જોઈએ. કટસરૈયા નાગચંપા અને બૃહતીના ફૂલ પણ વર્જિત માનવામાં આવે છે.