વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતિયાની તિથીને અક્ષય તૃતિયા અને કેટલીક જગ્યાએ અખાત્રીજ પણ કહેવામાં આવે છે. તે દિવસે તમે કેટલીક ભૂલ ન કરતા નહીતર પસ્તાવાનો વારો આવશે.
અક્ષય તૃતિયાના દિવસે ન કરતા ભૂલ
કેટલીક ભૂલ કરવાથી પસ્તાશો
આ દિવસે પંચાંગ જોવાની જરૂર નથી
આ દિવસે કોઇ પણ કામ કરવા માટે પંચાંગ જોવાની જરૂર રહેતી નથી. માતા લક્ષ્મીની પૂજા કરીને તમે કોઇ પણ કામની શરૂઆત કરી શકો છો. તેમના આશીર્વાદ હંમેશા તમારા પર બનેલા રહેશે.
અક્ષય તૃતિયા પર ન કરો આ કામ
જો કે કેટલાક કામ એવા છે કે અખાત્રીજના દિવસે ન કરવા જોઇએ. તમે તે કામ કરશો તો તમારાથી લક્ષ્મીજી નારાજ થઇ જશે અને ધન સંપત્તિનું નુકસાન થશે.
ઘરમાં ન હોવી જોઇએ ગંદકી
આવી માન્યતા છે કે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય ત્યાં ક્યારેય ગંદકી ન હોવી જોઇએ કારણકે દેવીને સાફ સફાઇ ખુબ પસંદ છે. માટે જ અખાત્રીજના દિવસે સફાઇનું વિશેષ ઘ્યાન રાખવામાં આવે છે. પૂજાસ્થળની સફાઇ કરવી પણ ખુબ જરૂરી છે.
ભૂલથી પણ ના કરો ઝઘડો
બને ત્યાં સુધી અખાત્રીજના દિવસે બધાની સાથે પ્રેમથી વ્યવહાર કરો અને કોઇની પણ સાથે ઝઘડો ન કરો કારણકે તેવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે અને ધન સંપત્તિનું નુકસાન થાય છે.
આ રીતે ન તોડતા તુલસીના પાન
ભગવાન વિષ્ણુને તુલસી ખુબ પસંદ છે અને કેટલીક જગ્યા પર અખાત્રીજના દિવસે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે માટે અખાત્રીજના દિવસે ભૂલથી પણ નાહ્યા વગર તુલસીના પાન ન તોડવા જોઇએ નહી તો પૂજા સફળ થતી નથી.
બાંધકામ ન કરો
આમ તો અક્ષય તૃતિયાના દિવસને શુભ માનવામાં આવે છે પરંતુ તે દિવસે તમે નવુ મકાન બનાવી ન શકો. હા તમે તે દિવસે મકાન ખરીદી શકો છો પરંતુ બાંધકામ ન કરવુ જોઇએ. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે.
તામસિક ભોજનથી રહો દૂર
અક્ષય તૃતિયાના દિવસે માસ, મદિરા, લસણ અને ડુંગળી જેવા તામસિક ભોજનથી દુર રહો નહીતર લક્ષ્મી દેવી નારાજ થઇ જાય છે અને ઘરની સુખ શાંતિ ખતમ થઇ જાય છે.