જન્માષ્ટની પર અમુક ભૂલો કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે, જાણો એવી કઈ ભૂલો છે જે જન્માષ્ટમી પર ન કરવી જોઈએ.
18 તથા 19 ઓગસ્ટનાં રોજ મનાવવામાં આવશે જન્માષ્ટમી
આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મળે છે અપાર પુણ્ય
કાળા રંગથી આઅ દિવસે દૂર રહેવું જોઈએ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો મહાપર્વ 18 તથા 19 ઓગસ્ટનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે શ્રી કૃષ્ણનો શૃંગાર કરીને તેમની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. તેમનાં ભક્તો આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને વ્રત કરે છે અને મધ્ય રાત્રીમાં ભગવાનને પંચામૃતનો ભોગ ચઢાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ઘણી વાર લોકોથી અજાણતા જ ભૂલો થઈ જાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર અમુક નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
શ્રી કૃષ્ણની પીઠ
જ્યોતિષીઓ અનુસાર, મંદિરમાં ભૂલથી પણ શ્રી કૃષ્ણની પીઠનાં દર્શન ન કરવા જોઈએ. શ્રી કૃષ્ણની પીઠ જોવાથી વ્યક્તિનાં પુણ્યો ઘટી જાય છે. એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણની પીઠ પર અધર્મનો વાસ છે, જેનાં દર્શનથી અધર્મ વધે છે. માયાવી અસુર કાલયવનનાં પુણ્યને સમાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણએ તેને પીઠ બતાવી હતી.
તુલસીનાં પાન
જન્માષ્ટમી પર ભૂલથી પણ તુલસીનાં પત્તા ન તોડવા જોઈએ. શ્રી કૃષ્ણને વિષ્ણુનો પૂર્ણ અવતાર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. હિન્દૂ પંચાંગ અનુસાર, કાર્તિક મહિનામાં શુક્લ પક્ષની અગિયારસનાં રોજ વિષ્ણુનાં વિગ્રહ રૂપ શાલિગ્રામ અને તુલસીનાં વિવાહ પણ કરાવવામાં આવે છે.
ચોખાથી રહો દૂર
હિન્દૂ ધર્મની માન્યતાઓ અનુસાર, જન્માષ્ટમીનાં દિવસે ચોખાનાં સેવનથી બચવું જોઈએ. જન્માષ્ટમીની જેમ જ અગિયારસનાં દિવસે પણ ચોખાનાં સેવનથી બચવું.
લસણ અને ડુંગળી
જન્માષ્ટમીનાં દિવસે લસણ, ડુંગળી અથવા તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે માંસ, દારૂથી પણ દૂર રહેવું જોઈએ.
કાળા રંગની સામગ્રી
જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણને કાળા રંગની કોઈપણ સામગ્રી અર્પિત ન કરવી જોઈએ. સાથે જ કાળા કપડાં પહેરીને ભગવાનની પૂજા પણ ન કરવી જોઈએ. કાળા રંગનો પ્રયોગ સામાન્ય રીતે અશુભ અને શોકનું પ્રતિક માનવામાં આવે છે.