કોરોના વાયરસ મહામારી વચ્ચે નિઝામુદ્દીન મરકજ વિરુદ્ધ મીડિયામાં ખોટા સમાચાર પ્રોજેક્ટ કરવા સંબંધિત જમીયત ઉલેમા હિન્દની અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી છે. જમીયત ઉલેમા હિન્દના વકીલ એઝાઝ મકબૂલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે લોકોને કાયદા અને વ્યવસ્થાના મુદ્દા પર ભડકાવવા ન દો.
જમીયતની અરજી પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું, લોકોને કાયદા અને વ્યવસ્થાના મુદ્દા પર ભડકાવવા ન દો
જમીયત ઉલેમા હિન્દના વકીલ એઝાઝ મકબૂલ મીડિયા પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે આ એવી વાત છે જે બાદમાં કાયદા-વ્યવસ્થાનો મુદ્દો બની જાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે કે તેમણે આ સંબંધમાં શું કાર્યવાહી કરી. કોર્ટે ન્યૂઝ ચેનલો દ્વારા કેબલ ટીવી (નિયમન) અધિનિયમના કથિત ઉલ્લંઘન પર પણ વિશિષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલા પર હવે પછીની સુનાવણી બે સપ્તાહ બાદ થશે.
નોંધનીય છે કે ગત સુનાવણીમાં તબલીગી જમાત મામલા પર જમીયત ઉલેમા હિન્દને સુપ્રીમ કોર્ટથી રાહત નહોતી મળી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે પ્રેસ પર પ્રતિબંધ નથી લગાવી શકતા. અરજી દાખલ કરનારા જમીયત ઉલેમા હિન્દના વકીલ એઝાઝ મકબૂલ મીડિયા પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપ પ્રેસ કાઉન્સિલને પક્ષ બનાવો.
જમીયત ઉલેમા હિન્દે નિજામુદ્દીન મરકજ મામલાની કવરેજને દુર્ભાવનાભર્યું બતાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા બિન જવાબદારી પૂર્વક કામ કરી રહી છે અને એવું દેખાડવામાં આવી રહ્યું છે કે જાણે મુસ્લિમ કોરોના વાયરસ ફેલાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવવા અને મીડિયા અને સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવા પર કાર્યવાહી કરવા આદેશ આપવા અપીલ કરાઇ છે.