વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના બેડરુમમાં અમુક પ્રકારની તસવીરો લગાવવાથી જીવનમાં મુશ્કેલીઓ પેદા થાય છે. જાણો ક્યા પ્રકારની તસવીરો ન લગાવવી જોઈએ.
બેડરુમનાં વાસ્તુને લઈને રાખો આ બાબતોનું ધ્યાન
ભૂલની પણ ન લગાવો આ પ્રકારની તસવીરો
દાંપત્ય જીવનમાં આવી શકે છે તકલીફો
બેડરુમનાં વાસ્તુને લઈને રાખો આ બાબતોનું ધ્યાન
વાસ્તુ શાસ્ત્રમાં ઘરનાં દરેક હિસ્સા, દરેક ખૂણા માટે નિયમો તથા રાખવી પડતી સાવધાનીઓ વિષે જણાવવામાં આવ્યું છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવન ખુશહાલ થઇ જાય છે. સફળતા કદમ ચૂમે છે. ઘરના લોકો વચ્ચે પ્રેમ રહે છે. પતિ-પત્નીનું દાંપત્ય જીવન સારું રહે છે. પરંતુ ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો જીવનમાં એક પછી એક તકલીફો આવ્યા રાખે છે.
આ જ પ્રકારે કોઈ વાસ્તુ દોષ બેડરુમમાં પેદા થઇ જાય છે તો પતિ-પત્નીનો સંબંધ તૂટવાની કાંગાર પર આવી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરુમમાં નકારાત્મક તસવીરોનું હોવું નુકસાન પહોંચાડે છે.
બેડરુમમાં ન લગાવો આ તસવીરો
બેડરુમમાં ક્યારેય પણ નદી કે વહેતા ઝરણાની તસવીરો ન લગાવવી જોઈએ, કેમકે આવું કરવાથી સંબંધમાં ભરોસાની અછત આવે છે. આવી તસવીરો એકબીજા પ્રતિ શંકાની ભાવના પેદા કરે છે. આવી સ્થિતિ પતિ-પત્ની માટે તકલીફદાયક રહે છે.
બેડરુમમાં ક્યારેય દેવી-દેવતાઓની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવાથી વાસ્તુ દોષ પેદા થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણની અર્જુનને ગીતા જ્ઞાન આપતિ તસવીરને બાદ કારતા મહાભારત યુદ્ધની અન્ય કોઈ તસવીર આખા ઘરમાં ક્યારેય ન લગાવવી જોઈએ. જ્યારે મહાભારત કે અન્ય કોઈ યુદ્ધની તસવીર બેડરુમમાં ભૂલથી પણ ન લગાવવી જોઈએ. આવું કરવાથી પતિ પત્નીનાં સંબંધમાં તણાવ આવે છે.
એવા દંપતિ જે સંતાન સુખની ઈચ્છા રાખે છે, તેમણે ક્યારેય બેડરુમ માં કબૂતરની તસવીર ન લગાવવી જોઈએ. આમ તો કબૂતરનો ફોટો કે મૂર્તિ ઘરમાં ક્યાંય પણ ન રાખવી જોઈએ, આ સંતાન પ્રાપ્તિ કે વંશવૃદ્ધિમાં બાધારૂપ બને છે.
બેડરુમમાં પૂર્વજોની તસવીરો પણ ન લગાવવી જોઈએ. આવું કરવાથી પતિ-પત્નીનાં સંબંધમાં તણાવ પેદા થાય છે.
બેડરુમમાં ડૂબતા સૂર્યની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ. આવું કરવાથી પતિ-પત્નીનાં સંબંધમાં ઉદાસીનતા આવે છે.