રક્ષાબંધનનો તહેવાર આવે એટલે બહેનો તૈયારીમાં લાગી જાય છે જ્યારે ભાઇઓ બહેનને શું ભેટ આપવી તેની તૈયારીમાં લાગી જાય છે.
રક્ષાબંધન પર બહેનને ન આપશો આ ભેટ
ભાઇ-બહેનના સંબંધોમાં આવી જશે અંતર
ભૂલથી પણ જૂતા જેવી વસ્તુ ન આપતા ભેટ
હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર આ તહેવારમાં ભૂલથી પણ પોતાની બહેનને કેટલીક વસ્તુઓ ભેટમાં ન આપવી જોઇએ. આવું કરવાથી બહેનના જીવનમાં પરેશાનીઓ આવી જશે.
કાચની વસ્તુંઓ ન આપવી
ઘણા લોકો રક્ષાબંધન પર પોતાની બહેનને ફોટો ફ્રેમ કે કાચથી બનેલી વસ્તુઓ ભેટમાં આપે છે. સનાતન ધર્મ અનુસાર આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા આવે છે. રક્ષાબંધન પર બહેનને નાઇફ સેટ પણ ગિફ્ટમાં ન આપવું જોઇએ.
રુમાલ ન આપવો
રક્ષાબંધન કે સામાન્ય દિવસ ક્યારેય પણ પોતાના પરિજનોને રુમાલ ભેટમાં ન આપવો જોઇએ. રુમાલ એક રીતે વિદાયની નિશાની માનવામાં આવે છે. જો કોઇ તમને રુમાલ આપે તો પણ તમારે ન લેવો જોઇએ. માણસે જાતે જ રુમાલ ખરીદવો જોઇએ.
આ રંગના કપડા ન કરો ગિફ્ટ
રક્ષાબંધનમાં કપડા ગિફ્ટ કરવાથી બચો. સામાન્ય રીતે બહેનોને કપડા ગિફ્ટ કરવામાં આવે છે પરંતુ કાળા રંગના કપડા ક્યારેય ગિફ્ટ ન કરવા જોઇએ. તેને મૃત્યુકારક કહેવામાં આવે છે. માટે કાળા રંગના કપડા ગિફ્ટમાં ન આપવા જોઇએ.
ઘડિયાળ ન આપો
ઘણા લોકો બહેનને રક્ષાબંધન પર ઘડિયાળ ગિફ્ટમાં આપે છે. માનવામાં આવે છે કે ઘડિયાળ જીવનમાં આવનારી પ્રગતિને રોકે છે. ઘણીવાર ઘડિયાળ ખરાબ થઇ જાય છે તેને ખરાબ સંકેત માનવામાં આવે છે.
આ ગિફ્ટ્સ ન આપશો
છોકરીઓ માટે ફેવરિટ સેન્ડલ કે જૂતા મેળવવાની ચાહત સામાન્ય વાત છે પરંતુ પોતાની બહેનને ક્યારેય જૂતા ગિફ્ટમાં ન આપવા જોઇએ. આ પ્રકારની વસ્તુઓ ગિફ્ટ આપવાથી ભાઇ-બહેનના સંબંધો વચ્ચે અંતર આવી જાય છે.