શાસ્ત્રો અનુસાર, અમુક દિવસે તુલસીનાં છોડને સ્પર્શ કરવાની પણ મનાઈ છે.
રાત્રે કે સુર્યાસ્ત સમયે ન કરવો જોઈએ તુલસી માતાને સ્પર્શ
રવિવારનાં દિવસે તુલસી માતાને સ્પર્શ ન કરવો
એકાદશીનાં દિવસે તુલસી માંને પાણી ન આપવું જોઈએ
તુલસીનો છોડ પૂજનીય ગણાય છે
હિંદુ ધર્મમાં એવા ઘણા છોડનો ઉલ્લેખ છે, જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આમાંથી જ એક છે તુલસીનો છોડ. હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. નિયમિત રૂપથી તુલસીની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ તુલસીનાં છોડની પૂજા કરતા સમયે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
તુલસીના છોડની પૂજા ક્યારે કરવી અને ક્યારે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં, શાસ્ત્રોમાં તુલસીના છોડને ક્યારે અડવાની મનાઈ છે, ક્યારે તોડવાની મનાઈ છે, એ વાતોનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આવો જાણીએ કે ક્યા દિવસોએ તુલસીનાં છોડને સ્પર્શ ન કરવો જોઈએ.
આ સમયે ભૂલથી પણ તુલસીને સ્પર્શ ન કરો
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે છોડની પૂજા સમયે નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે, તો માં લક્ષ્મી નારાજ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર, રાતના સમયે કે સુર્યાસ્ત સમયે તુલસીના છોડને ભૂલથી પણ સ્પર્શ ન કરવો જોઈએ. જો રાતનાં સમયે તુલસીના છોડને સ્પર્શ કરવામાં આવે, તો તેનાથી ધનની હાની થાય છે. આ ઉપરાંત, રાત્રે તુલસીમાં ક્યારેય પણ જળ અર્પિત ન કરવું જોઈએ.
આ દિવસે તુલસીને સ્પર્શ ન કરો
ધાર્મિક માન્યતા છે કે તુલસીના છોડને રવિવારના દિવસે ભૂલીને પણ સ્પર્શ ન કરવો જોઈએ. એટલું જ નહીં, આ દિવસે તુલસીનાં છોડને પાણી આપવાની પણ મનાઈ છે. કહેવાય છે કે રવિવારનાં દિવસે તુલસી માતાનું વ્રત હોય છે. જ્યારે, એકાદશી તિથીનાં રોજ પણ તુલસીને જળ આપવાની મનાઈ હોય છે. આ દિવસે તુલસી ભાગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આવામાં આ દિવસે તેમને સ્પર્શ કરવો કે જળ આપવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને માં લક્ષ્મી નારાજ થઇ જાય છે.