સારાં સ્વાસ્થ્ય માટે હમેશાં લીલી શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલાં હોય છે. જે આપણાં શરીર અને સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પહોંચાડે છે. પણ શું તમે જાણો છો કે કેટલાક શાકભાજી એવા પણ હોય છે જેનાથી અમુક લોકોને નુકસાન પણ પહોંચે છે. એવું જ એક શાક છે ફ્લાવર. આ શાક આમ તો અનેક રીતે લાભકારી છે પણ શિયાળામાં પુષ્કળ ખવાતું આ શાક અમુક લોકો માટે નુકસાનકારક હોય છે. તો ચાલો જાણીએ કોણે આ શાક ન ખાવું અને તેનાથી શું તકલીફો થાય છે.
હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે આ એક શાક
પણ હાર્ટ અને શુગરના દર્દીઓને ભૂલથી પણ ન ખાવું
એલર્જીની સમસ્યા પણ વધી શકે છે આ શાક ખાવાથી
પથરીના દર્દીઓ
ફ્લાવરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે ગોલ બ્લેડર અથવા કિડનીમાં પથરી થવાની સમસ્યા વધારે છે. જેથી જો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે તો પથરીની સમસ્યા વધવાના ચાન્સિસ વધી જાય છે.
હાર્ટ અને શુગરના દર્દીઓ
ફ્લાવરમાં વધારે પ્રમાણમાં યુરિક એસિડ હોય છે, જેના કારણે તે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારી દે છે. આ શાક ખાવાથી હાર્ટ અને શુગરના દર્દીઓને નુકસાન પહોંચે છે. જેથી આવા દર્દીઓએ આ શાક ખાવું નહીં.
ગેસની સમસ્યા
ફ્લાવરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને પોષક તત્વો હોય છે. જે પચવામાં ભારે પડે છે. તેના કારણે ગેસ, આફરો અને અપચાની સમસ્યા પણ થઈ શકે છે. જેથી પેટની સમસ્યાઓ થતી હોય એવા દર્દીઓએ ફ્લાવર ખાવું નહીં. એવી મહિલાઓએ પણ આ શાકનું સેવન ન કરવું જેઓ ફીડિંગ કરાવે છે નહીં તો બાળકને પણ ગેસની તકલીફ થઈ શકે છે.
બ્લડ ક્લોટની સમસ્યા
ફ્લાવરમાં વિટામિન કે વધુ માત્રામાં હોય છે. જેના કારણે બોડીમાં બ્લડ ક્લોટની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. જે લોકો લોહી ઘટ્ટ કરવાની દવાઓ ખાતા હોય છે તેમણે આ શાક ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
એલર્જીની સમસ્યા
મોટાભાગે ઘણાં લોકોને અમુક વસ્તુઓ ખાવાથી એલર્જીની સમસ્યા વધી જાય છે. જેના કારણ તેમણે શરીર પર ખુજલી અને અન્ય એલર્જી કે ઈન્ફેક્શન થઈ જાય છે. એવામાં ફ્લાવર ખાવાથી પણ એલર્જીનો ખતરો વધે છે. તેના કારણે શરીર પર રેશિસ અને ખુજલી થવાના ચાન્સિસ વધી જાય છે.