પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પરંતુ તમે જો કેટલીક ખાસ ચીજો શિયાળામાં ખાઈ લો છો તો તેના બાદ તમારે પાણી ન પીવું હિતાવહ છે. તમે ક્યારે અને કેવી રીતે પાણી પીઓ છો તે તમારા ડાયટ પર આધાર રાખે છે. તો જાણો કઈ 7 ચીજો ખાધા બાદ પાણી પીવાથી તમને શું નુકસાન થઈ શકે છે.
શિયાળામાં રાખો ખાસ ધ્યાન
આ 7માંથી કોઈ 1 ચીજ ખાધી હોય તો ન પીઓ પાણી
થઈ શકે છે મોટી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ
શેકેલા ચણા
શેકેલા ચણા કે ચણાની ચાટ ખાધા બાદ પાણી પીવાથી પેટમાં દુઃખાવવાની સમસ્યા રહે છે. આવું એટલા માટે થાય છે કે ચણાને પચાવવા માટે શરીરને જઠરાગ્નિની જરૂર રહે છે. પાણી પીવાથી આ અગ્નિ શાંત થઈ જાય છે. એવામાં પેટમાં તે સારી રીતે પચી શકતા નથી. પાચનક્રિયા ડિસ્ટર્બ થાય છે અને દુઃખાવો થાય છે.
જામફળ
મીઠું મરચું લગાવીને જામફળ ખાવું દરેકને પસંદ છે પણ સાથે ત્યારબાદ પાણી પીવામાં આવે તો તેનાથી પેટમાં ગેસની સમસ્યા અને દર્દ થઈ શકે છે. આ ખાસ કરીને જામફળમાં રહેલા બીજના કારણે થાય છે. તેનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે.
આઈસક્રીમ
આઈસક્રીમ ખાધા બાદ પાણી પીવાથી ગળામાં ખરાશની સમસ્યા રહે છે. આ સિવાય દાંતમાં સેન્સેશનની સમસ્યા પણ રહે છે. તેનાથી બચવા માટે આઈસક્રીમ ખાધાની 10 મિનિટ સુધી પાણી ન પીવું હિતાવહ છે.
ચા પીધા બાદ
ચા કે કોફી પીધા બાદ પાણી પીવાની ઈચ્છા થાય છે. એવું જીભ પરના ટેસ્ટ બડ્સના કારણે થાય છે. સતત ગરમ લિક્વિડનું સેવન કરવાથી શીતળતાની જરૂર પડે છે અને પાણી પીવાની ઈચ્છા થાય છે. પરંતુ યાદ રાખો કે ચા કે કોફી પીધાના 30 મિનિટ સુધી પાણી ન પીવું. તે તમારું પેટ ખરાબ કરી શકે છે. પેટમાં ભારેપણું અનુભવાય છે.
ફ્રૂટ
જો તમે કેળા, નાસપતિ, ચીકૂ, અનાનસ, દાડમ વગેરે ખાધું હોય તો તરત પાણી ન પીવું. તેમાં શુગર કંટેટ હોય છે અથવા સાઈટ્રિક એસિડ હોય છે. મીઠા ફળ ખાઈને પાણી પીવાથી તમને અપચો, ખાંસી કે શુગર લેવલ વધવાની સમસ્યા થઈ શકે છે. ખાટા ફળ ખાઈને પાણી પીવાથી ગળામાં ખરાશનો અનુભવ થાય છે. પાણીમાં લીંબુ નીચવીને પીવું અલગ છે. આ સિવાય તમે આમળા ખાઈને પણ પાણી પી શકો છો. તે ફળ અને શાક બંનેમાં આવે છે. તે ખાટા હોતા નથી અને સ્વાદ અલગ હોય છે. તેમાં બીજ હોતા નથી અને તેના અનેક ઔષધિય ગુણો પણ હોય છે.
મગફળી
મગફળીની તાસીર ગરમ હોય છે તેથી તે સ્વાદમાં થોડી ગળી હોય છે અને પકૃતિના આધારે શુષ્ક હોય છે. તેને ખાધા બાદ મોઢું સૂકાઈ જાય છે. તેને ખાધા બાદ પાણી પીવાથી ખાંસીની સમસ્યા થઈ શકે છે. આવું વિરોધી પ્રકૃતિના કારણે થાય છે. મગફળી ખાધા બાદ 20 મિનિટ સુધી પાણી ન પીઓ તે યોગ્ય છે.
સ્વીટ્સ અને ડોનટ્સ
કોઈ પણ મીઠાઈ કે શુગરના ફૂડ ખાધા બાદ તરત પાણી ન પીવું. પાણી શરીરમાં શુગરનું પ્રમાણ શોષવાની તીવ્રતાને વધારે છે. તેના તરત પ્રભાવથી અપચાની સમસ્યા રહે છે અને સાથે ટાઈપ -2 ડાયાબિટીસની શક્યતા પણ વધે છે. આ બાબત ભારતીય મીઠાઈઓ ખાધા બાદ પણ લાગૂ પડે છે.