માન્યતાઓ અનુસાર દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી જીવનમાં સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ અમુક એવી વસ્તુઓ પણ છે જેનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. જાણો એવી કઈ વસ્તુઓ છે.
ક્યારેય ન કરો આ વસ્તુઓનું દાન
માનવામાં આવે છે અશુભ
જાણો એવી કઈ વસ્તુઓ છે
લક્ષ્મીજીની મુર્તિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ક્યારેય પણ દેવી લક્ષ્મીની મૂર્તિનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી આપણે દેવી લક્ષ્મીને પોતાના ઘરમાંથી વિદા કરી દઈએ છીએ. તેનાથી સુખ-સમૃદ્ધિમાં કમી આવે છે. ત્યાં જ ચાંદીના સિક્કા જેના પર લક્ષ્મી ગણેશજીની મુર્તી હોય તેને પણ દાન ન કરવા જોઈએ.
પાત્રોનું દાન
કોઈ પણ સંપન્ન વ્યક્તિને ક્યારેય પણ પાત્રનું દાન ન કરવું જોઈએ. સંપન્ન વ્યક્તિ આ દાનને કોઈ ખૂણામાં મુકી દેશે. તેનો ઉપયોગ નહીં કરે. તેનાથી દાનના પુણ્યની પ્રાપ્તિ નહીં થાય. માટે જરૂરીયાતમંદ લોકોને જ પાત્રોનું દાન કરો. જેનાથી તે તેનો ઉપયોગ કરી શકે અને તમને દુવા આપી શકે.
ધાર્મિક પુસ્તકોનું દાન
ધાર્મિક પુસ્તકોનું દાન પણ ક્યારેય નાસ્તિકને ન કરવું જોઈએ. એવી વ્યક્તિને પણ ન કરવું જોઈએ જેને ધર્મમાં કોઈ રૂચિ ન હોય. એવા વ્યક્તિ તેને ઘરના કોઈ ખૂણામાં મુકી દેશે. તેનાથી તમને દાનના પુણ્યની પ્રાપ્તિ નહીં થાય. તેનાથી તમને પાપ ચઢશે.
અન્નનું દાન
એવું માનવામાં આવે છે કે કોઈ જરૂરિયાતમંદને ભોજન ખવડાવવાથી તમને તે વ્યક્તિની દુઆ મળે છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ પોતાનું એઠુ ભોજન અથવા તો વાસી ભોજન કોઈને દાન ન કરવું જોઈએ. તેનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે.