કહેવાય છે કે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને સંકટોથી મુક્તિ મળે છે, પણ આ કામ કરવાથી ગણેશજી અપ્રસન્ન પણ થઈ શકે છે.
4 ફેબ્રુઆરી એટલે કે આજે છે ગણેશ ચતુર્થી
ચતુર્થી વ્રતના અમુક કઠોર નિયમો
આ કામો કરી શકે છે ગણેશજીને અપ્રસન્ન
Ganesh Chaturthi 2022: 4 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતી છે. સનાતન શાસ્ત્રોનું માનીએ તો ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષની ચતુર્થીના રોજ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. જેથી દરેક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તથા શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના કરવાને શુભ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવાય છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને બધા સંકટોથી મુક્તિ મળે છે. જોકે, ચતુર્થી વ્રતના ઘણા કઠોર નિયમો છે. આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતાં, તો ગણેશજી અપ્રસન્ન થાય છે.
શાસ્ત્રોનું માનીએ તો ગણેશ ચતુર્થીના દિવસે કાળા તથા લીલા રંગના કપડાં ધારણ ન કરવા જોઈએ. આવું કરવાથી ગણેશજી અપ્રસન્ન થાય છે.
ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન નહીં કરતાં. સનાતન શાસ્ત્રમાં ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનને અશુભ માનવામાં આવે છે. જો આવું કરો છો, તો નજીના પંડીતનો સંપર્ક કરી તેનું નિવારણ કરી લો.
જ્યોતિશોની માનીએ તો ગણેશ ચતુર્થીના દિવસે બે મૂર્તિઓ ઘરમા સ્થાપિત ન કરો. જો પહેલાથી ઘરમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે, તો બીજી પ્રતિમા સ્થાપઉઈટ ન કારોવી જોઈએ.
શાસ્ત્રમાં દેવી દેવતાઓના અંધારામાં દર્શન કરવાની મનાઈ છે. આવું કરવું શુભ માનવામાં આવતું નથી.
શાસ્ત્રમાં ગણેશજીને તુલસી પાન અર્પિત કરવાની મનાઈ છે. એટલે ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દરમિયાન તુલસી પાન અર્પિત કરવું નહીં.
ઘણી વાર લોકો ઘરમાં ઉંદરને કારણે હેરાન હોય છે. લોકો હીરાન થઈને ઊંદરોને સતાવવા લાગે છે. આવું બિલકુલ ન કરો. ખાસકરીને ચતુર્થીના દિવસે ઊંદરોને ન સતાવો. આવું કરવાથી ગણેશજી ક્રોધિત થઈ જાય છે. આ દિવસે ઊંદરોને ભજન અચૂક આપો.