16 એપ્રિલનાં રોજ હનુમાન જયંતીનાં દિવસે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીતર સારા ફળ મળવાને બદલે ખરાબ ફળ મળે છે.
16 એપ્રિલનાં રોજ છે હનુમાન જયંતી
હનુમાનજીની કૃપાથી દૂર થાય છે બધા દુઃખ
પૂજા દરમિયાન અમુક બાબતોનું ખાસ રાખવું જોઈએ ધ્યાન
16 એપ્રિલનાં રોજ છે હનુમાન જયંતી
હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનું ખૂબ જ મહત્વ છે. ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાનાં દિવસે સંકટમોચન હનુમાનની જયંતી મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. આ વર્ષે 16 એપ્રિલ 2022 એટલે કે શનિવારનાં રોજ હનુમાન જયંતી મનાવવામાં આવશે. હનુમાનજીની કૃપાથી જીવનના બધા જ દુખો દૂર થાય છે. જ્યારે આ દિવસે કરવામાં આવેલી અમુક ભૂલો ઘણા સંકટોને આમંત્રણ આપે છે. આવામાં હનુમાન જયંતી સાથે જોડાયેલ અમુક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને તેનું કડકાઈથી પાલન કરવું પણ જરૂરી છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
હનુમાન જયંતીનાં દિવસે પૂજા અર્ચના કરતા સમય મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન હનુમાન બાલ બ્રહ્મચારી છે. મહિલાઓએ પૂજા દરમિયાન ભૂલથી પણ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવી જોઈએ નહીતર ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
હનુમાનજીની પૂજા કરતા સમયે ક્યારેય કળા કે સફેદ કપડા પહેરવા ન જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શુભ ફળ મેળવવા માટે લાલ કે પીળા કલરનાં કપડાં જ પહેરવા જોઈએ.
જે લોકો હનુમાન જયંતીનાં દિવસે વ્રત રાખે છે, તેઓએ દિવસે ન સુવું જોઈએ. વધારેમાં વધારે સમય બજરંગબલીની આરાધનામાં જ લગાવવો જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
એવા લોકો જેમના ઘરમાં કોઈ કારણસર સુતક ચાલી રહ્યું છે, તેઓએ ન તો હનુમાન મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ અને ન પૂજા કરવી જોઈએ.